________________
M
મહાસતી બેઠી નવકારના ધ્યાનમાં, યક્ષરાજ આવ્યો ખાવાનાં તાનમાં
યક્ષ ખાંઉ ખાંઉ કરતો ધસી આવ્યો છે. સુંદરી નવકારમય બની ગઇ છે. તેને તો કશી જ ખબર નથી. કે ‘હું ક્યાં છું’ તે પણ ભૂલી ગઇ છે. માણસ ભક્ષી યક્ષરાજને જોતાં તો એમ જ લાગે છે કે હમણાં જ સુંદરીના સોએ વર્ષ પુરા થઇ જશે. કહેવાત છે ‘“રામ રાખે તેને કોણ ચાખે' એક વાળ વાંકો કરવાની કોઇની તાકાત નથી. પુણ્યરુપી રામ જેને રાખે છે. તે નિર્ભય છે. મહાપૂરુષો કહે છે (ધર્મો રક્ષતિ રક્ષિતઃ) જે ધર્મનું રક્ષણ કરે છે. તે ધર્મ તેનું રક્ષણ કરે છે. પોતાનું સર્વસ્વ સોંપીને પ્રભુ સમર્પિત બની જાય છે. તેની સંપૂર્ણ જવાબદારી પ્રભુની બનીને રહે છે. સુરસુંદરીની નજીક યક્ષરાજ આવી ગયો. ભયંકર ગર્જનાઓ કરતો ધમપછાડા કરતો આવી ગયો છે. ચાર ડગલાં દૂર રહેલી બાળાને જોતાં જ થંભી જાય છે. સુંદર બાળા, વળી મધુર અને સુકોમળ વયણથી કંઇક ગણગણતી, આંખ મીંચીને બેઠેલી સુંદરીને જોતાં શાંત થઇ ગયો. ખાઉં ખાંઉં કરતો આવેલ રાક્ષસ શાંત થઇને ઊભો છે. શીલ જેનું બખ્તર બન્યું છે, શ્રી નવકાર મંત્રઃ જેનો રક્ષણહાર બન્યો છે, તે મહાસતી સુરસુંદરીને આ યક્ષરાજ કંઇ જ કરી શકતો નથી. બલ્કે તેના હૈયામાં દયાએ જન્મ લીધો. યક્ષરાજના હૈયે આ સ્ત્રી પ્રત્યે સ્નેહની સરવાણી ફુટી. મધુર અને મીઠા અવાજે બોલાવે છે. હે બાળા! આવા ઉજ્જડ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
૭૫