SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણા આવે, શીલ જ સંકટોથી બચાવે. એ ક્યારેય ન ભૂલતા. કંઇક સ્વસ્થતાને આપમેળે પ્રાપ્ત કરે છે. મનને સમાધાન કરાવીને વિવેકી કુંવરી વૃક્ષની નીચે બેઠી છે ને ચિત્તને વિષે પંચપરમેષ્ઠીના ધ્યાનમાં મગ્ન બની છે. શ્રી નવકારમંત્રમાં અતૂટશ્રદ્ધાવાળી રાજકુમારી ધરતી ઉપર બેસી મન-વચન કાયાની એકાગ્રતાએ નવકારમાં એકદમ તલ્લીન બની. ભૂખતરસ બધું જ ભૂલી ગઈ છે! શાસ્ત્રમાં કહ્યું છે કે ગયેલી વસ્તુનો શોક ન કરવો, ને ભવિષ્યની પણ ચિંતા ન કરવી. પણ ભવિષ્યકાળ ઉજમાળ બનાવવા વર્તમાનમાં એ રીતે વર્તે. ખરેખર, તે જ સમજુ અને જ્ઞાતા જાણવો: શ્રી નવપદરુપ નવકારનું સ્મરણ જે કોઈ કરે છે તેનાં સર્વ પ્રકારના દુરિતો અને દુ:ખો નાશ પામે છે. વળી સિંહ, હાથી, સર્પ, શત્રુ, પાણી, અગ્નિ-બંધન આદિ બધા જ પ્રકારના ભયો નાશ પામે છે. કવિ ઘટના કરે છે. કરુણ કલ્પાંત કરતી સુંદરીનું ભયંકર દુઃખ જોઇને સૂર્ય પણ પોતાના કિરણો સંકેલીને અસ્તાચલે ચાલ્યો ગયો. સતીનું દુ:ખ ન જોઇ શકતો સૂર્ય અસ્ત થયો. અર્થાત્ રાત્રિ પડી. રાત્રિ તો અંધકારને ભરી રહી હતી. સતીનો દિવસ તો જેમ તેમ કરીને ગયો. રાત્રિ તો કેવી બિહામણી બની. ઘોર અંધકાર નિર્જન ટાપુ, દરિયા કિનારો, પાણીથી ઉછળતા મોજાનો ભયંકર અવોજ, આંખે જોઇ ન શકાય, કાને સાંભળી ન શકાય. વળી વનચર પશુઓના પણ અવાજ આવવા લાગ્યા. પણ સાવધાન થઇ ગયેલી સુંદરી તરુવર નીચે આસન લગાવી નવપદનું ધ્યાન ધરતી બેઠી છે. કહ્યું છે કે પરદેશમાં દુઃખના હેતુભૂત એવી રાત્રિને વિષે નિદ્રા ન લેવી. સુંદરીશાયલ પ બખ્તરથી યુક્ત છે અને નિદ્રા પરિહરીને શ્રી પંચપરમેષ્ઠીમાં એકાકાર બની છે. | ઢાળ - છઠ્ઠી (સંભવ જિન અવધારીયે - દેશી) ઇણિ અવસર તે દ્વીપનો, જક્ષ અધિષ્ઠિત જેહ; સપાપી. માણસ ગંધ લહી કરી, આવે હણવા તેહ. સપાપી. નવપદથી સુખ પામીયે રે... એ આંકણી. ૧ શ્રી નવપદ જપતી થકી, બેઠી દીઠી બાલ, સનેહી. યણ સુકોમલ બોલતી, પુન્યવતી સુદયાલ. સનેહી. નવ. ૨ શ્રી નવપદ મહિમા થકી, અનુકંપા તસ આવી. " " " શાંત હૃદય જશે તદા, સુરસુંદરી બોલાવી. સુબેટી. નવ. ૩ કવણ કાજે તું એકલી, અબળા સુણ, (કુણ?) અવદાત, સુબેટી. નિરધારી શું ઉચ્ચરે, તે સઘળી કહો વાત. સુબેટી. નવ. ૪ કહે કુમારી સુણો તાતજી, મુજ વીતકની વાત, પિતાજી. મૂલ થકી સઘળો કહ્યો, અનુભવિયો અવદાત. પિતાજી. નવ. ૫ શ્રી નવપદ સમરણ કરું, જેહથી દુઃખ અપહાર; પિતાજી. નિરાધારી મુજ કિમ કહો, શ્રી જિનધર્મ આધાર. પિતાજી. નવ ૬ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૭૩
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy