________________
મળેલી સત્તાના મદમાં લોકોના શીલને બળાત્કારે ખંડન કરાવ્યા હશે. નિર્દોષની ઉપર ખોટી શંકા લાવીને આળ ચડાવી હશે. વળી ભવાંતરે મળેલું જિનશાસન, તેમાં જિનેશ્વર ભગવાનને માન્યા નહિ હોય, આવા ભયંકર દુષ્કૃત્યોને લઇને મેં પાપોના ખડકલા ભેગા કર્યા હશે. તે સઘળાયે મારા પાપો આજે એકી સાથે ઉદયમાં આવ્યા. આ કર્મની જાળને આ નિર્જન ટાપુ ઉપર કેવી રીતે તોડી નાખીશ? આવા કપરા સંયોગોમાં મારા શીલનું રક્ષણ કઇ રીતે કરીશ? હે કિરતાર! તું શા માટે રૂઠ્યો? હવે મારું કોણ બેલી? પ્રાણના ભોગે પણ શીલનું રક્ષણ તો કરીશ. જગતમાં શીલ થકી આપદા નાસે, સુખ સંપદા પામે. વળી રખડતા દુષ્ટ દેવો-માનવો ક્યારેય ઉપઘાત કરતા નથી.
રાજદુલારી સુરસુંદરી ક્ષત્રિયની બેટી છે. ખમીર તો લોહીના બુંદે બુદે ઉછળતું હતું. આવી પડેલી અણધારી ભયંકર આપત્તિને યાદ કરતાં ઘણું રડી લીધું. હવે નિશ્ચયથી શીલના રક્ષણની ચિંતામાં મગ્ન છે. ધર્મને પામેલી આ બાળા હવે સંયોગોને આધીન બની કેવી રીતે પોતાના શીલને પાળશે ને કેવી કસોટીએ ચડશે એ આ પાંચમી ઢાળ - બીજા ખંડની સમાપ્તિ બાદ આગળ પૂ. વીર વિજયજી મ. સા. શું કહે છે? શું બને છે? હે ભવ્યો! હવે સાંભળો ને શીલ માટે સાવધાન બનો. પાંચમી ઢાળ સમાપ્ત
⭑
(દોહરા)
હવે સુંદરી ચિત્તવાલીને, બેઠી ધરિય વિવેક; પરમેષ્ઠી ચિત્ત સમરતી, ધરતી ધરમે ટેક. ૧ ગઇ વસ્તુ સોચે નહિ. આગમ ચિંતા નાંહિ; વર્તમાન વરતે સદા, સો શાતા જગમાંહિ. ૨ શ્રી નવપદ સ્મરણ કરે, જેહથી દુરિત પલાય; હિર - કિરહિર જરિ જલ જલણ બંધનભય સવિ જાય. ૩ સુંદરીનું દુઃખ દેખીને અસ્ત થયો રવિ તામ; તિમિર ભરે ભૂત શર્વરી બેઠી તરુઅધ ઠામ. ૪ ૫૨દેશે નવિ કીજિએ, નિદ્રા તે દુઃખ હેત; ઇમ જાણી જાગ્રત રહે, શીયલ સન્નાહ સમેત. પ ૧-સિંહ, ૨-હાથી, ૩-સર્પ, ૪-શત્રુ, ૫-પાણી, ૬-અગ્નિ, ૭-રાત્રિ, ૮-વૃક્ષનીનીચે. ભાવાર્થ :
માતપિતાની લાડકી, અમરકુમાર શ્રેષ્ઠીની પત્ની આ યક્ષદ્વીપે નિરાધાર બનીને ચોધાર આંસુએ રડી રહી છે. પડખે કોઇ નથી. ઉપર આભ અને નીચે ધરતી. આંખ સામે અફાટ દરિયો. તે સિવાય કંઇ જ નથી. શીલને સાચવવા સંકટો
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
૭૨