________________
કર્તવ્ય બની જાય છે અને આ બધા બહાદુરો પણ સાંભળી લે કે, શું વણિક વીર ન હોઈ શકે ? ત્રાજવું ઝાલનારો હાથ તલવાર ન જ તાણી શકે, એવો કોઈ નિયમ છે ખરો? ક્ષત્રિય કંઈ માના પેટમાંથી તલવાર તાણવાની તાકાત લઈને પેદા થતો નથી, એમ વણિક કંઈ જન્મતાની સાથે ત્રાજવું ઝાલી શકતો નથી. આ બધું તો પુરુષાર્થને આધીન છે. અને એથી જ તો આ વસુંધરા બહુરત્ના અને વીરભોગ્યા ગણાય છે. માટે વણિકને “વાણિયા' તરીકે વગોવનારાઓ આ એક વાત કાળજે કોતરી રાખે કે, ગુર્જરેશ્વર વનરાજ ચાવડાથી માંડીને આજ સુધી પાટણની સત્તાને બળ અને કળથી સમૃદ્ધ મંત્રી-પરંપરાનું દાન કરનારા વણિકો જ રહ્યા છે, અને એય પાછા જૈન !'
બહાદુરોના બ્રહ્માંડમાં વિમલના આ વીર-હાકોટાથી સન્નાટો છવાઈ ગયો. બાણકળા જોવા આવેલી પ્રજા વિમલની વાકળા જોઈને મંત્રમુગ્ધ બની ગઈ. દામોદર મહેતાના કાળજાને વિમલની આ વાણીનો એક એક શબ્દ બાણ બનીને વીંધી રહ્યો. ભીમદેવ વિમલની બાણકળા જોવા તલપાપડ બની ગયા હતા. એમનો આવેશ તો
ક્યારનો શમી ગયો હતો, અને એથી આનંદ સાથે અહોભાવપૂર્વક વિમલની પીઠ થાબડતાં એમણે કહ્યું :
બાપ કરતાં બેટા સવાયા, એ આનું નામ ! વિમલકુમાર ! તમે ખરેખર વીર મંત્રીનું નામ રાખશો, એમ તમારી વાણીમાં રેલાતી આ વીરતા અને ધીરતા પરથી લાગે છે. જેની વાણીમાં આવી વીરતા હોય, એનું પાણી પણ કંઈ કમ ન હોય ! મારે હવે તમારી પરીક્ષા કે તમારી બાળકળાની પરખ નથી કરવી, આ વાત પરથી તમારું પાણી પરખાઈ જાય છે ! પણ હું તો અત્યારે તમારી બાણકળાનાં પુણ્યદર્શન મેળવવા ઉત્સુક બન્યો છું.”
રાજા ભીમદેવના આ શબ્દોને સૌએ તાળીના પ્રચંડ ગડગડાટથી વધાવી લીધા. શું ધાર્યું હતું અને શું થઈ ગયું? આ વિચારમાં ગરકાવ મંત્રીશ્વર વિમલ ર૦ ૮૭