________________
ભીમદેવના આનંદનો પાર ન રહ્યો. એમણે વળતી જ પળે સાદ દીધો : વિમલકુમાર ! બાણકળા બતાવવા આવ્યા છો કે માત્ર તમાશો જોવા જ ?
દામોદર મહેતાએ ભીમદેવના કાનમાં મોઢું રાખીને થોડીઘણી જે કાનાફૂંસી કરી હતી, એ વિમલની નજરે પકડી પાડી હતી. એથી ખરો ઘા કરવાની અત્યારની તકને ઝડપી લેતાં એમણે રોકડું પરખાવ્યું :
મહારાજ ! આવ્યો તો હતો, બાણકળા બતાવવા ! પણ થયું કે, આ તમાશામાં કળા બતાવવી, એના કરતા મૌન રહેવું સારું ! એથી ઊભો ઊભો છોકરાંઓની રમત જેવો આ તમાશો નિહાળી રહ્યો છું'
ભીમદેવનાં ભવાં ચડી ગયાં : શસ્ત્રસ્પર્ધા જેવી વીરોચિત આ પ્રવૃત્તિને ‘તમાશો’ કહીને હડહડતું અપમાન કરનાર વિક્રમ જેવો વીર આ વાણિયો વળી કોણ ? એમણે જરા આવેશમાં પૂછ્યું : શું વીર મંત્રીના પુત્રનો આ જવાબ છે, વિમલ ?
વધુમાં રાજાએ કહ્યું : મહારથીઓના મેળાને ‘તમાશો' સાબિત કરવાની અને ભલભલાના મોંમાંથી વાહવાહની પ્રશંસા મેળવી જતી આ ‘શસ્ત્રકળા’ ને છોકરમત પુરવાર કરવાની તાકાત હોય, તો તો મેદાનમાં આવી જઈને તમને તમારી ‘વીરતા’નું દર્શન કરાવવાની તક આપતું આહ્વાન કરવામાં આવે છે. જો આ આહ્વાન સ્વીકારવાની તૈયારી ન હોય, તો આવી ‘વીર-પ્રવૃત્તિ'ના અપમાન બદલ જાહેરમાં ‘માફી’ માંગવાનો તમને આદેશ આપવામાં આવે છે. વાણિયાભાઈને તો મૂછ નીચી કરવામાં ક્યાં કંઈ કલંક લાગે છે !”
દામોદર મહેતાને થયું કે, મેં જ આ ઈંધણને આગ પૂરી પાડી છે, એથી હવે જલી ઊઠેલા આ ઈંધણમાં ઘીની આહિત નાખવામાં મારે વળી શા માટે પાછી પાની કરવી જોઈએ, એમણે પણ વિમલને ઉતારી પાડવા કહ્યું :
મંત્રીશ્વર વિમલ
૮૫