________________
લખલૂટ ખર્ચ કરતા હોય છે અને એમાં ભરતી થવા સૈનિકો તૈયાર થતા રહે, એ માટે જાહેરમાં શસ્ત્ર-કળા-સ્પર્ધા જેવા કાર્યક્રમો પણ આયોજતા રહેતા હોય છે.
રાજા ભીમદેવ બિનહરીફ બાણાવળી હતા. એમની બાણકળા અને બળકળા ત્યારે કેટલાંય રાષ્ટ્રોમાં વિખ્યાત હતી. ગુર્જર રાષ્ટ્ર સામે માલવામંડલ જેવાં કેટલાંય સમૃદ્ધ રાષ્ટ્રો તલવાર તાણીને ખડા રહેવામાં જ સ્વકર્તવ્ય અદા કર્યાનો આનંદ અનુભવતાં રહેતાં હતાં, એથી ઉત્સાહ અને સાહસથી ભરપૂર સેનાનું સર્જન ને સંવર્ધન ભીમદેવ માટે પણ કર્તવ્ય બની જતું હતું. આ માટે એઓ અવારનવાર શસ્ત્ર-સ્પર્ધાઓ યોજતા, એમાં શૂરવીરોનો જે મેળો જામતો, એમાંથી સૈનિકોની ચૂંટણી કરીને ભીમદેવ પોતાના સૈન્યને સમૃદ્ધ બનાવતા રહેતા. | નેઢ ને વિમલ પાટણમાં માત્ર એક વણિક તરીકે જ વધુ વિખ્યાત હતા. સૌ કોઈ એમ માનતા કે, આ વણિક પાસે વફાદારીની, વ્યવસાય-કૌશલ્યની કે આંટીઘૂંટીમાં માર્ગ કાઢી શકવાની કળાની સબળતા હોવાની આશા હજી રાખી શકાય, પણ વીરતા કે તલવારને હાથમાં ઝાલવાની હિંમત અંગે તો આશા ક્યાંથી રાખી શકાય ?
નેઢ અને વિમલની પાસે સમૃદ્ધિની સરવાણી તો સામેથી આવ્યા જ કરતી હતી, એથી એઓ હવે પોતાનું પાણી બતાવી શકાય, એવી જ કોઈ તકની શોધમાં હતા. અને એમને એ વાતની પૂરી શ્રદ્ધા હતી કે, ભીમદેવ આજે નહિ તો કાલે કોઈ શસ્ત્રસ્પર્ધા યોજશે જ! આવી શ્રદ્ધાના છોડવે ધાર્યા કરતાં ફળ જલદી બેઠાં. થોડા જ દિવસો પછી શસ્ત્રસ્પર્ધાનાં સ્થળ-કાળ જાહેર થયાં. એ દિવસ પણ આવી ગયો. માતા વીરગતિની રજા લઈને નેઢ અને વિમલ “શસ્ત્રસ્પર્ધાના સ્થળે પહોંચી ગયા.
મહારાજા ભીમદેવ મુખ્ય સ્થાને બેઠા હતા. ચોમેર આશાભર્યા યુવા-વીરો પોત-પોતાની કળા અજમાવવા એકઠા થયા હતા. આ ભીડમાં નેઢ અને વિમલને જોઈને ઘણાએ એવું આશ્ચર્ય અનુભવ્યું કે, મંત્રીશ્વર વિમલ છે ૮૩