________________
.
છે
જેવી વાણી એવું પાણી ! જેવું પાણી એવી વાણી !
રાજાઓની પ્રકૃતિને જે અનેક રસો વર્યા હોય છે, એમાં સંગ્રામના રસની લગભગ સર્વોપરિતા હોય છે. આ સંગ્રામ બે ચીજ માટે થતો હોય છે : કાં તો એ સંગ્રામની સુરંગને દારૂગોળો ચાંપનારું તત્ત્વ સ્વકીર્તિની ભૂખ હોય છે, કાં તો સામ્રાજ્યના વિસ્તારની લાલસા લાય બનીને એ સુરંગને ધણધણાવી મૂકતી હોય છે. અને આવા સંગ્રામો સારી રીતે ખેલીને વિજયી બની શકાય, એ માટે જાનને મુઠ્ઠીમાં લઈને ઝઝૂમવાની જવાંમર્દી ઉપરાંત શસ્ત્ર-કળાની નિપુણતા આવશ્યક ગણાતી હોવાથી, રાજાઓ સૈન્ય-દળને વધારવા