________________
સૌની આંખ આગળ વીરમતિ, નૈઢ અને વિમલની ત્રિપુટી પુનઃ ઊપસી આવી અને જાન લઈને આવનારા એમની પ્રતીક્ષા સૌ કરી રહ્યાં.
પાટણના સિંહાસને બેઠેલા ભીમદેવના કાને આ બધી વાતો અથડાય, એવો ઓછો સંભવ હતો. તેમ દામોદર મહેતાને આ વાતની ગંધ ન આવે, એ પણ સંભવિત નહોતું. મોટા ઠાઠમાઠ સાથે પરણવા આવવા ભટેવરથી નીકળી ચૂકેલા નેઢ અને વિમલની વાત એમણે સાંભળી, ત્યારે મનોમન એવું સમાધાન કરી લીધું કે, લોકોને તો વધારીને અને વધારીને વાત કરવામાં મજા આવતી હોય છે. બાકી સ્થિતિથી સાવ ઘસાઈ ગયેલા એમનાં લગ્નમાં આવી ધામધૂમ ક્યાંથી સંભવી પણ શકે ? પણ પૂર્વની જેમ દામોદર મહેતાની આ માન્યતા અને હકીકત વચ્ચે આ વખતે પણ એવું વિરાટ અંતર હોવાની ખાતરી જ્યારે પાટણમાં નેઢ અને વિમલના નામનાં ગાજતાં વાજાં સાંભળ્યાં, ત્યારે જ એમને થવા પામી !
પાટણની પ્રજાને વીર મંત્રીએ જે પ્રેમ આપ્યો હતો, એથી પ્રજાના માથે જે ઋણ ચડ્યું હતું, એમાંથી આંશિક મુક્તિ મેળવવા કાજે જાણે નેઢ અને વિમલના પાટણમાં થતા પુનરાગમનને અને પનોતા એ પુનરાગમનના પગલે ઊજવાનારા લગ્ન-પ્રસંગને પોતાનો જ પ્રસંગ સમજીને એમાં ઊલટભેર ભાગ લેવાની અંતઃપ્રેરણાથી પ્રજા થનગની ઊઠી. એ ઘડી-પળ પણ આવી પહોંચ્યાં, જ્યારે વરણાગી બનેલા નેઢ અને વિમલ પાટણમાં પ્રવેશ્યા, એમના દેહ પર છલકાઈ રહેલાં રૂપરંગ જોઈને સૌ કોઈ આવો વર મળવા બદલ ધનશ્રી અને શ્રીદેવીના ભાગ્યની ઈર્ષા કરી રહ્યાં. જે લોકોની આંખમાં ભવિષ્યને ભાળવાની થોડીઘણી પણ અગમ્યશક્તિ હતી, એઓ નેઢ અને વિમલના ભાલમાં પાટણનું ભાવિ મંત્રીપદ અંકાતું નિહાળી રહ્યા.
મહારાજ ભીમદેવ રાજ્યગાદીએ બિરાજ્યા, ત્યારે પાટણે જે ઉલ્લાસ-ઉજમાશ માણેલ, એથી પણ અધિક ઉલ્લાસના તરંગો પર સહેલગાહ માણી રહેલ પાટણની પ્રજાને જોઈને જો કોઈએ વધુ દુઃખ મંત્રીશ્વર વિમલ
૭૯