________________
મેઘાશાહનું ઘર હસી ઊડ્યું. ને જે ચૂલે થેંસ રંધાતી હતી, એ ચૂલે આજે શીરો-કંસાર અને માલમિષ્ટાન્ન તૈયાર થવા માંડ્યાં. ભટેવરગામમાં આ સમાચાર પહોંચતાં ઘરે ઘરે આનંદ છવાઈ ગયો, એમાં વળી સૌના ઘરે મીઠાઈના પડિયા પહોંચ્યા, ત્યારે તો એ આનંદને કોઈ આરો-ઓવારો ન રહ્યો. સમી સાંજે શ્રીદત્ત શેઠે પાટણ જવાની તૈયારી કરવા માંડી, ત્યારે ખાનગીમાં વીરમતિએ શેઠની સાથે થોડી વાતચીત કરવાની તક ઝડપી લીધી. એ વાતચીત દરમિયાન વિમલ જરાક દૂર ઊભો હતો, છતાં એ વાતચીતમાં બે ત્રણ વાર ઉચ્ચરાયેલું પોતાના વડીલબંધુ નેઢનું નામ સાંભળીને, આજના આનંદના વાતાવરણમાં પણ જરાક ચિંતા અનુભવતા વિમલે સંતોષ અનુભવ્યો. શેઠ વિદાય થયા, પણ એ પૂર્વે તો જાણે ઘરની આખી સિક્કલ જ પલટાવતા ગયા. મુહૂર્તના મંગલ દિવસની વધામણી આવે, ત્યાં સુધી તૈયારી કરીને જાન લઈ પાટણ પહોંચવાનું હતું. મેઘાશાહનું મન ઊંડે ઊંડે ચિંતા અનુભવી રહ્યું હતું કે, મોટા ઘરની કન્યા સાથે લગ્ન તો લીધાં છે, પણ ખરીને કઈ રીતે પહોંચી વળીશું? પરંતુ આ ચિંતાનો ઉકેલ બીજે જ દિવસે મળી ગયો.
રોજની જેમ મામા-ભાણેજ ખેતરે ગયા. થોડીઘણી જે જમીન હતી, એમાં આમ તો રોજ મામા હળ હલાવતા. પણ આજે વિમલે કહ્યું : મામા, હવે મને આ કામ કરવા દો ને, તમે તો રોજ કરો છો. અને વિમલે હળ હાથમાં લઈને જયાં ખેતર ખેડવા માંડ્યું ત્યાં જ હળ કોઈ નક્કર ચીજ સાથે અથડાતાં એક મોટો અવાજ થયો. મામાને થયું કે, ભાણિયાએ હળ તોડી નાંખ્યું લાગે છે? એઓ દોડીને આવ્યા અને ધીરેથી હળ ઊંચું કર્યું, તો એમના આશ્ચર્ય અને આનંદનો પાર ન રહ્યો. એ હળ કોઈ પથ્થર સાથે નહિ. પણ સોનામહોરોથી ભરેલા એક ચાંદીના ચરુ સાથે અથડાયું હતું અને એથી જ એ ચરુ જમીનમાંથી ખોદાઈને બહાર આવ્યો હતો. ભાણેજના ભાગ્યનાં ઓવારણાં લેતા મામા તરત જ ઘેર આવ્યા. ચરુના ચળકાટ જોઈને, ઘરમાં વ્યાપેલા પ્રસન્નતાના પ્રકાશમાં ઓર ભરતી ચઢી આવી. ચરુના એ ચળકાટમાં મંત્રીશ્વર વિમલ ર૦ ૭૭