________________
છે
?
પુનરાગમનને પગલે... પગલે...
Oro
ઊગતા સૂર્યની અદાથી અણહિલ્લપુર પાટણની રાજ્ય ગાદી પર ભીમદેવનો પ્રતાપ વૃદ્ધિ પામી રહ્યો હતો. ગુર્જર રાષ્ટ્રનાં સત્તાસૂત્રો સંભાળ્યાને મહિનાઓ વીતી ગયા હતા અને દામોદર મહેતા જેવી વ્યક્તિઓનું થોડુંઘણું પણ ચલણ હતું, એથી પોતાના પિતાના રાજ્યકાળમાં જે વીરમંત્રીના નામની હાક વાગતી હતી, એમના પ્રતાપી પુત્રો નેઢ અને વિમલને ભીમદેવ જાણે સાવ ભૂલી બેઠા હતા. પોતાના પિતાજીએ આ બે મંત્રીપુત્રોને સેવાની તક આપીને, ગુર્જર રાષ્ટ્રને વધુ સમૃદ્ધ બનાવવાની આપેલી