________________
વરસ્યા છે. મહેનત કે મજૂરી કર્યા વિના હું એવી કમાણી કરી આવ્યો છું કે, જે આજીવન ચાલે, તમે નહિ માનો, પણ આજે મા-અંબિકાદેવી મારી પર તૂક્યાં છે અને એમણે....
વિમલનો હર્ષાવેશ એટલો વેગવાળો બન્યો હતો કે, એ વાક્ય પૂરું કરી શક્યો નહિ ! પરંતુ એના કેડ પરથી છૂટેલી એક પોટલીએ એ વાક્ય પૂરું કર્યું અને માતા વિરમતિ તેમજ ભાઈ નેઢ વિસ્ફારિત આંખે એ અલંકારોને જોવા પ્રયાસ કરવા માંડ્યાં; પણ એના તેજથી આંખો અંજાઈ જતાં એમણે પૂછયું : વિમલ ! સૂર્યના આ તેજની ચોરી તું કઈ ચબરાકી અને ચાતુરીથી કરી આવ્યો, એ તો કહે?
વિમલ બોલ્યો : હું ચોર નહિ, શૂરો અને પૂરો શાહુકાર છું. પિતા વીર અને માતા વિરમતિનું આ સંતાન જે દહાડે ચોર બનશે, એ દિ’ પછી શાહુકારી ક્યાં જઈને આશરો લેશે ? વિમલનો હર્ષ હૈયામાં સમાતો નહોતો, છતાં ગંભીર બની જઈને એણે જયારે “અથથી ઈતિ' સુધીની ઘટના કહી સંભળાવી, ત્યારે માએ વિમલનાં ઓવારણાં લીધાં, એ વખતે પતિદેવની એ ભવિષ્યવાણીના પડઘા એના કાનમાં ગુંજવા માંડ્યા, અને એના મોંમાંથી શબ્દો સરી પડ્યા કે, હવે આપણા દુઃખના દિવસો ગયા અને વસમી વેળાનાં વળામણાં થયાં, એમ નક્કી માનજો ! દેવનું દર્શન અમોઘ હોય છે, એથી આજે આપણને આપણા શુભ ભાવિનો સંકેત આ રીતે માતા-અંબિકા આપી ગયાં. હવે...
માતા વિરમતિનું વક્તવ્ય હજી પૂર્ણ નહોતું થયું, ત્યાં તો બહારથી સાદ આવ્યો : બહેન ! બહાર આવો, પાટણથી આવેલા શ્રીદત્ત-શ્રેષ્ઠી તમને યાદ કરી રહ્યા છે.
વિરમતિએ પોતાના ભાઈને પૂછ્યું : શું પાટણથી શ્રીદત્ત શેઠ આવ્યા છે ? અને એ પાછા મને યાદ કરે છે?
મંત્રીશ્વર વિમલ
૨૦૭૧