________________
જીવી રહ્યા. પાટણથી દસેક ગાઉ દૂર આવેલા ભટેવર નામના ગામડામાં વી૨મતિનું પિયર હતું. આમ, મા સાથે મોસાળમાં નેઢ અને વિમલના જીવનનું કમળ વિકાસ પામી રહ્યું.
વીરમતિના પિતા સાવ સામાન્ય સ્થિતિના હતા, એમનું નામ મેઘાશાહ હતું. ગામમાં નાનકડી હાટડી હતી. દીકરાઓ નાના હતા, એથી ઘરમાં રાખેલાં ઢોર-ઢાંખર ચરાવવા જતા. એઓ બીજાનાં ઢોર પણ લઈ જતા. એથીય થોડીક આવક હતી. આ કાર્યમાં નેઢ અને વિમલ પણ જોડાઈ ગયા. આ બે ભાઈઓના પુણ્યે મેઘાશાહની કમાણી ધીરે ધીરે વધી રહી. પુણ્યશાળીનાં પગલાં જ્યાં પડે, ત્યાં ધન ધાન્યના ઢગલા થાય, આ વાતની પ્રતીતિ કરાવતા રહેતા નેઢ અને વિમલના દિવસો આનંદ-મંગલમાં વીતવા લાગ્યા. મામાના આ ભાણિયા ભટેવર ગામમાં સૌના પ્રિયપાત્ર બની રહ્યા. કારણ કે આ બે ભાઈઓને જે રૂપ-બળ-બુદ્ધિ-પુણ્ય વગેરે વર્યું હતું. એની તોલે ઊભું રહી શકે, એવું આખા ગામમાં કોઈ નહોતું.
દિવસોને વીતતાં ક્યાં વાર લાગે છે ? આજકાલ કરતાં બે અઢી વર્ષ વીતી ગયાં. હવે તો નેઢ અને વિમલ ફૂટડા યુવાન બની ચૂક્યા હતા. એમના બાહુમાં બળ ઊભરાઈ રહ્યું હતું, એમના મોં પર રૂપનો સાગર છલકાઈ રહ્યો હતો, અને એમના ભાગ્યને જાણે વિધાતા મલકાઈ મલકાઈને નિહાળી રહી હતી. પણ આ મલકાટ સૌને માટે અપ્રત્યક્ષ હતા. એથી સૌ કોઈ નેઢ અને વિમલના ભાવિ અંગે થોડા વિચારમગ્ન બને, એ સ્વાભાવિક હતું. છતાં માતા વીરમતિના મોં પર વિષાદનો કે ચિંતાનો કોઈ ભાવ જોવા ન મળતો. કારણ કે પુણ્ય-પાપ પર અતૂટ શ્રદ્ધા ધરાવતું એ હૈયું વિચારતું હતું કે, કોઈ માણસના ભાવિ માટે વિચારનારા આપણે વળી કોણ ? આપણે ગમે તેટલું વિચારીએ, પણ ધાર્યું જો કર્મનું જ થવાનું હોય, તો આવી ખોટી ચિંતાનો ભાર વેંઢારવાનો અર્થ પણ શો ગણાય ?
૬૬
આબુ તીર્થોદ્ધારક