________________
સલાહ તો લેવી જ જોઈએ. એની નજર સામે પાટણના શ્રીદત્ત શ્રેષ્ઠી તરવરી ઊઠ્યા. પોતાના કુટુંબ સાથે શ્રીદત્તને પહેલેથી જ ઘર જેવો સંબંધ હતો. એથી એમની આગળ હૈયું ખોલીને વાત કરવામાં કોઈ જાતનો ડર રાખવા જેવું નહોતું. એમની પુત્રી શ્રીદેવી તો વીરમતિ સાથે સગી મા જેવો સંબંધ રાખતી હતી. એથી વીરમતિ વિના વિલંબે શ્રીદત્ત શેઠને ત્યાં પહોંચી ગઈ, ઘણા સમયે જવાનું થયું હતું, એથી શ્રીદેવીએ સહર્ષ આવકાર આપ્યો. પછી એકાંત મેળવીને વિરમતિએ શ્રીદત્ત શેઠ આગળ બધી વાત રજૂ કરીને સલાહ માંગી. શેઠે પણ કહ્યું કે, નેઢ અને વિમલ જોકે દામોદર મહેતાને પહોંચી વળે એવા છે, પણ અત્યારથી જ આ રીતે વિરોધ બાંધવામાં આવે, તો ભાવિ ધૂંધળું બનવાની શક્યતા ગણાય. માટે તમારો પિયરમાં જવાનો નિર્ણય યોગ્ય જ છે. આ રીતે થોડો કાળક્ષેપ થશે, તો ભાવિ વધુ ભવ્ય બનશે !
વિદાય થતી વીરમતિને શેઠે જરૂર પડે તો નિઃસંકોચ યાદ કરવા ભારપૂર્વક જણાવ્યું, વિરમતિએ હવે ધીમે ધીમે “પાટણના પરિત્યાગ ની ભૂમિકા બાંધવા નેઢ અને વિમલ સમક્ષ એ રીતની વાતો કરવા માંડી. અને એક દિવસ તેઓ સૌ સ્વમાનભેર પાટણનો ત્યાગ કરીને અન્યત્ર ચાલ્યા ગયા. આ ગમનને પાટણે કોઈ ગંભીરતાથી ન નિહાળ્યું. દામોદર મહેતાને પણ એવો કોઈ ખ્યાલ ન આવ્યો કે, પોતાની પરોક્ષ પ્રવૃત્તિઓનું જ આ એક પ્રત્યક્ષ ફળ છે! પરંતુ એમને મન તો નેઢ અને વિમલનો પાટણ ત્યાગ જ મહત્ત્વની ચીજ હતી. એથી આ વાતના રહસ્ય પર પડદો રાખીને દામોદર મહેતા મનમાં ને મનમાં ખૂબ જ આનંદ અનુભવી રહ્યા હતા.
વીરમતિએ એવી ગંભીરતા અને ધીરતાપૂર્વક પાટણ છોડ્યું હતું કે, જેથી કોઈને કોઈ જાતની શંકા કરવાનું કે કલ્પનાના ઘોડા દોડાવવાનું કારણ જ ન મળે. એણે દીકરાઓને સુખ-દુ:ખમાં એવી રીતે જીવન જીવી જાણવાની ધર્મ-કળા શીખવાડી હતી કે, પાટણના સુખ-સામ્રાજ્યમાં જન્મીને મોટા થયેલા નેઢ અને વિમલ એક નાનકડાગામડાના સામાન્ય ઘરના વાતાવરણમાં એ જ પ્રસન્નતા સાથે જીવન મંત્રીશ્વર વિમલ ૬૫