________________
થોડા જ દિવસોમાં રાજ તરફથી સત્તાના સ્વીકાર કાજે તેડું આવવું જ જોઈએ !
માતા વિરમતિ જેમ દીકરાઓના ઘડતર માટે સક્રિય હતી, એમ બીજી બાજુ રાજકીય વાતાવરણના રંગ-ઢંગથી પરિચિત રહેવા માટે પણ એ એટલી જ સજાગ હતી. દામોદર મહેતાના સ્વભાવ-પ્રભાવનો સામાન્ય રીતે એને ખ્યાલ તો હતો જ. પણ છેલ્લા કેટલાક દિવસોથી જે વાતો એના કાને અથડાતી રહેતી હતી, એથી એ જરા ચોંકી ઊઠી હતી અને એને ઊંડી તપાસ પછી એ વાતનો જ્યારે પાકા પાયે ખ્યાલ આવી ગયો કે, મહેતા ગમે તે ભોગે નેઢ અને વિમલની આબરૂ ખતમ કરી દેવા માંગે છે, ત્યારે એનું વિચાર-ચક્ર એકદમ પલટો ખાઈ ગયું. એ વિચારી રહી કે, કોઈ કાઢે અને જે જાય એ સ્વમાની નહિ! સાચો સ્વમાની તો પોતાની આબરૂને અણદાગ રાખવા ગૌરવભેર બીજે ચાલ્યો જાય, ભલે પછી બીજે મહેલના બદલે ઝૂંપડીમાં રહેવા જેવી પરિસ્થિતિ સર્જાય !
દામોદર મહેતા દૂધમાંથી પોરા કાઢવાની જે પ્રવૃત્તિ કરી રહ્યા હતા, એની જાણ થતાં વીરમતિને એક વાર તો જરા આઘાત લાગ્યો, પણ એ આઘાતની અસરમાંથી તરત જ મુક્ત થઈ જઈને એ વિચારી રહી : આનું જ નામ સંસાર ! અને આનું જ નામ રાજકારણ ! કર્મના ઉદય ક્યારે પોતાના વરવા વિપાક બતાવવા સજ્જ થાય, એ કહી ન શકાય અને ત્યારે માણસ કઈ રીતે રેકમાંથી રાજા અથવા તો રાજામાંથી રંક બની જાય, એની જ્યાં કશી જ આગાહી ન કરી શકાય, એવા વિચિત્ર સ્થાન તરીકે સંસારને એ સારી રીતે પિછાણી ચૂકી હતી. એથી સ્વસ્થ બનીને એ વિચારી રહી હતી કે, કોઈ આપણને અહીંથી ધક્કો મારીને કાઢે, એના કરતાં આપણે અહીંથી સ્વમાનભેર ચાલ્યા જઈએ, એમાં જ આપણી ધન્યતા છે. પિયરનું પીઠબળ નજીકમાં જ છે, એથી ઝાઝું સાહસ ખેડ્યા વિના આવી ધન્યતાનું જતન થઈ શકે એમ છે.
એક શાણી નારીની પ્રૌઢતાને છાજે એવો નિર્ણય મનોમન લઈ લીધા પછી વીરગતિને થયું કે, આ બાબતમાં કોઈ આપ્તજનની
૬૪ % આબુ તીર્થોદ્ધારક