________________
જૈનશાસનના જયજયકારનો એ ધ્વનિ ગગનના ગુંબજમાં પણ પડઘા પાડવા માંડ્યો હતો.
જિનશાસનનો આવો જયકાર જોઈને જેના પેટમાં તપેલું-તેલ રેડાય, એવા પણ થોડાઘણા મંત્રીઓનું અસ્તિત્વ વનરાજ ચાવડાના સમયથી જ પાટણમાં રહેતું હતું. પરંતુ આ જયકારને જેર કરવાના એ મંત્રીઓના તમામ પ્રયાસો સૂર્ય સામે ધૂળ ફેંકવા જેવી પાગલ પ્રવૃત્તિથીય વધુ નિષ્ફળતા પામતા રહેતા હતા. પાટણના સિંહાસન પર ભીમદેવનો રાજ્યાભિષેક થયો, ત્યારેય આવા ઈર્ષાળુ મંત્રીઓ હતા અને એમાં દામોદર મહેતા આગળ પડતા હતા. અને એમનું હૈયું વિષના ઘડા જેવું હોવા છતાં માં અમૃતની પરબ જેવું હતું. એથી કોઈને એમની ઈર્ષાળુતાનો જલદી ખ્યાલ ન આવતો, છતાં જૈનત્વના પ્રભાવને દાબી દેવાની એક પણ તકને એઓ જતી ન કરતા. એમાં એમને સફળતા નહોતી મળતી, છતાં હાર્યા જુગારની જેમ બમણા દાવ રમવાની તૈયારીમાં મનોમન એઓ વધુ ને વધુ બળ્યા જ કરતા હતા.
ભીમદેવના રાજ્ય-દરબારમાં ત્યારે મંત્રી વરનું સ્થાન નહોતું, કારણ કે એઓ તો દીક્ષિત બની ચૂક્યા હતા અને નેઢ તેમજ વિમલ હજી મંત્રી મુદ્રાને યોગ્ય ઉંમરવાળા થયા નહોતા, એથી દામોદર મહેતા મનોમન મલકાયા કરતા હતા કે, હવે તો જૈન મંત્રીઓનો યુગ આથમી ગયો જ સમજો ! આ રીતે મનમાં મલકાટ અનુભવતા દામોદર મહેતા નેઢ અને વિમલનો પ્રભાવ વધવા ન પામે અને ભીમદેવ તથા પ્રજા આ બે ભાઈઓથી પ્રભાવિત ન બનવા પામે, એ માટે પળ પળના પ્રહરી બનીને ચોકી કરતા રહેતા. શરૂઆતમાં તો એમને એવો વિશ્વાસ બેસવા માંડ્યો કે આ ચોકી સફળ બની રહી છે અને મંત્રીપુત્ર તરીકેય નેઢ અને વિમલને પ્રજા ભૂલી રહી છે ! પણ થોડા વખતમાં જ એમનો આ ભ્રમ ભાંગવા માંડ્યો, એઓ આ ભ્રમને ભાંગતો રોકવા માટે જેમ જેમ હવામાં હવાતિયાં ભરવા જેવા પ્રયાસો કરી રહ્યા હતા, એમ એમ
૬૦ - આબુ તીર્થોદ્ધારક