________________
પાળથી ઉપરવટ થઈને વહી ચાલ્યો. થોડી વાર થઈ, સૌનાં હૈયા ફોરાં થઈ ગયાં અને એ દીક્ષા-ધર્મની સૌ અનુમોદના કરી રહ્યા.
ઇજ્જત ઈમાનના સૂર્ય-ચંદ્રને ઈષ-અસૂયાનો રાહુ જો પ્રસતો રહેતો ન હોત, તો આ દુનિયાનો ઇતિહાસ જ કોઈ ઓર હોત ! પણ યુગોના યુગથી પ્રતિષ્ઠા-આબરૂના સૂર્યને ઈર્ષાના રાહુ-ગ્રહણની પક્કડમાં આવવું જ પડતું હોય છે. એ રાહુ પ્રકાશના કોઈ પુંજને હાંકી શકવામાં તો સફળ બની શકતો જ નથી, પણ ઢાંકી શકવામાં થોડી વાર માટે અવશ્ય સફળ નીવડે છે અને એથી પ્રકાશ જેવું જીવન જીવનારને માટે ક્યારેક થોડી વાર પડદા પાછળ છુપાઈ જવું પડતું હોય છે.
વિશ્વની બધી ધરતી પર આવાં ગ્રહણ જ્યારે થતાં જ રહેતાં હોય, ત્યારે ગુર્જર રાષ્ટ્રની તો એમાંથી બાદબાકી ક્યાંથી કરી શકાય ? વનરાજ ચાવડાથી પ્રારંભીને, ભીમદેવ-ચૌલુક્ય સુધીના જે રાજાઓ પાટણના પ્રભાવશાળી રાજ્ય પર પ્રતિષ્ઠિત થતા રહ્યા, એ સમગ્ર સમયમાં જૈન મંત્રીઓનું ચલણ-વલણ ખૂબ જ મોટા પ્રમાણમાં રહ્યું, એથી જૈન ધર્મના પ્રભાવની વૃદ્ધિના કારણ તરીકે વિરોધી વર્ગ જૈન મંત્રીઓને કલ્પી લે, તો એને કોણ રોકી શકે ? એમાં વળી વનરાજને વરેલા વૈભવમાં તો શ્રી શીલગુણસૂરિજીનો ફાળો પ્રત્યક્ષ હતો ! ત્યાર પછી થયેલા રાજવીઓ અજૈન હોવા છતાં જૈનશાસનના ધર્માચાર્યોથી પૂરા પ્રભાવિત હતા. ચામુંડરાજના પુત્રો વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ તો બાલ્યવયમાં શ્રી જિનેશ્વરસૂરિજી પાસે ઠીક ઠીક સમય સુધી રહીને ધર્મ-સંસ્કારિત બન્યા હતા. આ અને આવાં અનેક કારણોસર ગુર્જર રાષ્ટ્રમાં દિવસે દિવસે જૈનશાસનનો જયજયકાર વધુ ને વધુ ગુંજતો રહે, એ તો સ્વાભાવિક જ હતું ! એમાં વળી મંત્રી વિરે ભર્યો-ભાદર્યો વૈભવ અને જેને જોઈને ઈર્ષા જાગે, એવી રાજકૃપા : આ બેને ઠુકરાવી દઈને જૈન દીક્ષા સ્વીકારી, એથી તો
મંત્રીશ્વર વિમલ (
૫૯