SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પાર ન રહ્યો. મંત્રી વીરના મનોરથની વાત પાટણમાં ફેલાતાં સૌના દિલમાં આનંદ અને આઘાતની મિશ્ર લાગણીઓ પડઘો પાડી રહી.. મંત્રીનો સંસારત્યાગ આનંદનો વિષય હતો, જ્યારે મંત્રીની વિદાય આઘાતજનક હતી. દુર્લભરાજ ઇચ્છતા હતા કે, ભીમદેવને સફળ રાજવી બનાવવા મંત્રી વીરની સેવા મળે તો સારું ! પણ એમની આ ઇચ્છા એવી નહોતી કે, જેથી મંત્રીનો કલ્યાણ-માર્ગ રૂંધાય ! એથી એમણે કહ્યું : મંત્રીવર ! તમે જે માર્ગે જવા માંગો છો, એના જેવો જ માર્ગ લેવાના અમારાય મનોરથ છે. એથી તમારા રસ્તામાં રૂકાવટ કરવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. તમે આ ગુર્જર રાષ્ટ્રને અનેક રીતે સમૃદ્ધ કરવામાં જે ફાળો આપ્યો છે, એનું ફળ વર્તમાનકાલીન ગુર્જર રાષ્ટ્ર છે. એથી અમે આશા એટલી જ રાખીએ છીએ કે, તમારા પુત્રો નેઢ અને વિમલની સેવા પણ આ રાષ્ટ્રને મળતી રહે ! મંત્રી વીરે ટૂંકમાં જવાબ વાળતાં કહ્યું ઃ મહારાજ ! આપની આશા અસ્થાને નથી. નેઢ અને વિમલ હજી ઉંમરલાયક ન ગણાય. પણ આજ પછી આવતી કાલે ગુર્જર રાષ્ટ્રના દૂધમાં સાકરની જેમ ભળી જવાનું એમનું ભાગ્યનિર્માણ હશે, તો એ નિર્માણને કોણ મિથ્યા કરી શકશે ? આપે આશ્રય આપવાની કૃપા કરી, એથી જ થોડીઘણી પણ ધર્મ-સેવા અને રાજ્ય-સેવા કરવામાં મારા જેવો માણસ નિમિત્ત બની શક્યો. આ બદલ આપનો ઉપકાર અવિસ્મરણીય રહે એવો છે. દુર્લભરાજ અને મંત્રી છૂટા પડ્યા. મંત્રીના દીક્ષા-મહોત્સવની ખુશાલીની લાલી આખા પાટણને સુરંગી બનાવી રહી. હર્ષના ઊડતા એ અબીલ-ગુલાલના ગુલાબી વાતાવરણ વચ્ચે, મુહૂર્તનાં એ ઘડી પળ આવતા જ મંત્રી વીર દીક્ષિત બનીને મુનિ વીર બની ગયા. નેઢ, વિમલ અને એની માતા વીરમતિ પોતાના શિરછત્રને ભગવાનના પંથે વળાવીને ઘરે પાછાં ફર્યાં, આટલી વાર સુધી આ સૌએ ખાળી રાખેલો આંસુનો એ બંધ, એકાંત મળતાં જ પાંપણની આબુ તીર્થોદ્ધારક ૫૮
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy