________________
હવે તમે આ બેના ઘડતર પાછળ વધુ ને વધુ સજાગ રહેશો, તો શ્રી જૈનશાસનનો જયજયકાર થઈ જાય, એવી પરિસ્થિતિનું સર્જન કરવામાં આ બે ભાઈઓ જરૂર સફળ થશે. રાજવી દુર્લભરાજને જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન અને સંસારને ડંકાની ચોટ ઉપર અસાર સિદ્ધ કરી આપતા જૈનાચાર્યોનો જોઈએ, એવો સુયોગ નથી સાંપડ્યો, તોય તેઓ સંન્યાસી જેવું જીવન જીવવાની ક્યારનીય ભાવના ભાવી રહ્યા છે,
જ્યારે મને તો આ બધું વારસામાં મળ્યું છે, એથી હું હવે જેટલો મોડો પડું, એટલો મેં આ વારસો વેડક્યો ગણાય ! નેઢ અને વિમલ કદાચ નાના હોય, તોય સિંહનાં સંતાન છે, માટે તમે નિશ્ચિત બની જઈને, મારા માર્ગની સફળતા ઇચ્છો, એવી મારી માંગણી છે.
વિરમતિને થયું કે, પતિદેવ હવે પળનોય વિલંબ સહી શકે એમ નથી, એથી એમણે નતમસ્તકે મંત્રીશ્વર વીરના મનોરથને પ્રશંસાનાં પુષ્પોથી વધાવીને આનંદ અનુભવ્યો. ત્યાર પછી મંત્રીએ પુત્રોને અનુલક્ષીને કહ્યું બેટા નેઢ ! બેટા વિમલ ! તમે સુજ્ઞ છો, એથી તમને કહેવા જેવું કંઈ લાગતું નથી. છતાં કાળજે એટલું કંડારી રાખજો કે, રાજકાજ એ કંઈ આપણા આ માનવ જીવનનું ખરું ધ્યેય નથી. તમારા ભાગ્યલેખ એવા છે કે, મંત્રીપદ તમને સામેથી મળશે. છતાં એને ધ્યેય ન બનાવી દેતા. ધર્મ-પ્રભાવના કરવા માટેના એક સાધન તરીકે આ સત્તાનો જેટલો સદુપયોગ કરશો, તેટલી જ એ સત્તા લેખે લાગશે. આપણા પૂર્વજોએ આ પદનો જેટલો થાય એટલો સદુપયોગ કર્યો, એથી જ ગુજરાત એમને હજી પણ ભૂલી શક્યું નથી. આ સત્તા એક એવું લપસણું અને ભાન ભુલાવનારું પગથિયું છે કે, જો સાવધ ન રહેવાય, તો આ પગથિયે ઊભનારો પટકાયા વિના ન રહે, જે સાવધ હોય, એ જ જાત ને જગતને ઊંચે ચડાવવા માટે આ પગથિયાને માધ્યમ બનાવીને એનો સદુપયોગ કરી શકે. | નેઢ અને વિમલે આ હિતવાણીનું અમૃતની જેમ આચમન કર્યું અને પિતાજીને એ રીતે વિશ્વસ્ત કર્યા છે, જેથી એમના આનંદનો
મંત્રીશ્વર વિમલ
છે ૫૭