SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ વહી’ના સર્જક તરીકે અમર બની ગયા ! આ અમરતાનાં ગાન હજી આજેય દેશ-પરદેશમાં ગુંજી જ રહ્યાં છે. મંત્રીપદને પામ્યા પછી પણ વીરનું અંતર તો પોતાના કપાળે લખાયેલા મંત્રીત્વના લેખને ભેંસી કાઢીને ભગવાન-ભાષ્યો ધર્મ સ્વીકારવાની સ્વપ્નસૃષ્ટિમાં જ રાચી રહ્યું હતું. પણ જવાબદારીનાં જે બંધન પગમાં પડ્યાં હતાં, એ અકાળે-એકાએક તોડી શકાય એવાં નહોતાં. એથી નેઢ અને વિમલની વય જેમ વધતી ચાલી, એમ એમની સંયમી બનવાની ભાવનામાં પણ ભરતીના ઘૂઘવાટ વધુ વેગીલા બનતા ચાલ્યા. વીરમતિ અને નેઢ-વિમલ મંત્રી વીરની આવી ભાવના-સૃષ્ટિથી પરિચિત જ હતા. એમને ખ્યાલ જ હતો કે, એવો એક દિવસ જરૂ૨ આવવાનો જ છે, જે દિવસે કાંચળી તજી દઈને ચાલ્યા જતા સાપની જેમ, મંત્રી વીર આ સંસારને તજી દઈને સાધુ બની રહ્યા હશે ! આવા ઘડી-પળના આગમન માટે એઓ નિઃશંકિત હતા, પણ એક દિવસે જ્યારે મંત્રી વીરે સૌને ભેગા કરીને પોતાના નિર્ણયની જાણ કરી, ત્યારે સૌને લાગ્યું કે, પોતે કલ્પી રાખેલાં ઘડી-પળ જરા વધુ પડતાં વહેલાં આવ્યાં ! એથી પત્ની વીરમતિએ કહ્યું : “આર્યપુત્ર ! હું આપના દીક્ષા-પથમાં અવરોધ ઊભો કરવા નથી માંગતી ! પણ મારું કહેવું એટલું જ છે કે, આ નેઢ અને વિમલ હજી એટલા ઉંમરલાયક ન ગણાય કે, જેના આધાર પર આપ આ પગલું ઉઠાવવા કટિબદ્ધ અને કૃતનિશ્ચયી બન્યા છો !” મંત્રી વીરે જવાબ વાળતાં કહ્યું : મને તો લાગે છે કે, 'સસારનો ત્યાગ કરવામાં હું ઘણો મોડો પડ્યો છું. નેઢ અને વિમલ કંઈ હવે નાના ન ગણાય. આ નૈઢને અઢાર થયાં અને વિમલને પંદરમું પૂરું થશે. વિમલના જન્મ પૂર્વે તમને જે શુભ સ્વપ્નો આવ્યાં હતાં, એના આધારે હું છાતી ઠોકીને કહી શકું છું કે, આની ભાગ્યરેખા ભારે બળવાન છે. આપણું જ નહિ, આપણા પૂર્વજ શ્રી નીના શ્રેષ્ઠીથી માંડીને આજ સુધી થઈ ગયેલા બધા વડીલોનું નામ આ ઉજાળશે, માટે આબુ તીર્થોદ્ધારક ૫૬
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy