SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ અપમાનનો પૂરેપૂરો બદલો લેવાની ભીમદેવે મનમાં ગાંઠ વાળી અને આ નાનકડું અપમાન ગુર્જરપતિ ભીમદેવના મનમાં વેરનું બીજ બનીને ધરબાઈ ગયું. ત્યારે તો કોણ એવી કલ્પના પણ કરી શકે કે, આ બીજમાંથી ઊગી નીકળનારા બળવાના બાવળિયા બંને દેશની કેવી ખાનાખરાબી કરી નાખશે ? જે શ્રેષ્ઠી નીના છેક વનરાજના સમયથી ગુર્જર રાષ્ટ્રને મહારથી મંત્રી-પરંપરા આપવામાં નિમિત્ત બની ગયા, એમની વંશપરંપરામાં મંત્રી લહિર પછીના સમયમાં થયેલા મંત્રી વીરની સંસારવેલ પર પાંગરેલા અને પોતાની ફેલાતી ફોરમથી સંસારને સુવાસિત બનાવી ગયેલાં, બે ફૂલો એટલે જ નેઢ અને વિમલ ! મંત્રીશ્વર વીરના આ બે પુત્રોમાંથી નેઢની પુત્રપરંપરાને મળતા રહેલા મંત્રી-પદની સમયાવધિ છેક મહારાજા શ્રી કુમારપાળ સુધી લંબાયેલી ઉપલબ્ધ થાય છે. નેઢ મંત્રીની પરંપરામાં મંત્રી ધવલ, મંત્રી આનંદ, મંત્રી પૃથ્વીપાલ અને મંત્રી ધનપાલ થયા. આમાંના શ્રી પૃથ્વીપાલ તો ગુર્જરેશ્વર કુમારપાળના રાજ્યમાં મહામાત્ય તરીકે અગ્રગણ્ય સ્થાનને શોભાવનારા હતા. ચામુંડરાજના રાજ્યકાળ વિ.સં. ૧૦૫૩ થી દુર્લભરાજના વિ.સં. ૧૦૬૬ પર્યંતના રાજ્યકાળ સુધી મંત્રી વીરની સેવા પાટણને ઉપલબ્ધ થઈ. એમની પત્ની વીરમતિ ધર્મનો અવતાર હતી. એનામાં શાણપણ હતું. દૂરંદેશી હતી, અને જાજરમાન વ્યક્તિત્વ હતું. વીર બાલ્યકાળથી જ વિરાગી હતા, પણ કર્મ-ધર્મના સંયોગે વીરમતિ સાથે એમનો સંસારવાસ લખાયેલો હશે ? અને એ બેનો સંયોગ પણ એવી કોઈ પનોતી પળે થયો હશે કે, એમની સંસારવેલ પર નેઢ અને વિમલ જેવાં બે ફૂલ પાંગર્યાં. આમાં મંત્રી નેઢ પરમાર્હત્ કુમારપાળ સુધી ચાલી રહેલી મંત્રી-પરંપરાના પિતામહ તરીકે તો દંડનાયક શ્રી વિમલ ગુર્જર રાષ્ટ્રના સફળ સંચાલક ઉપરાંત ગિરિરાજ આબુ પરની ‘વિમલ મંત્રીશ્વર વિમલ ૫૫
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy