________________
તરફ ઉદાસીન ભાવના ધારક હતા. એથી યોગ્ય વય થતાં દુર્લભરાજે સંન્યાસ લેવાનો નિર્ણય પોતાના ભાઈને જણાવીને રાજ્ય સંભાળી લેવાનો આગ્રહ કર્યો. પરંતુ નાગરાજનું દિલ પણ વિરાગી જ હતું. એથી એમણે કહ્યું : વડીલબંધુ! હું પણ આપની સાથે જ ધર્મમય જીવન ગાળવાના નિર્ણયવાળો છું. માટે આપ પાટણની રાજગાદી બીજા કોઈને સોંપી શકો છો. - આ પછી લાંબી વિચારણાને અંતે દુર્લભરાજ પોતાના ભાઈ નાગરાજના પુત્ર ભીમદેવને રાજગાદી સોંપવાના નિર્ણય પર આવ્યા. ભીમદેવ શરીરે જરા ધૂળ અને રંગે જરા શ્યામ હતા, પણ પરાક્રમથી તેઓ એવા પ્રકાશિત હતા કે, આ બે ખામીઓ એમાં ઢંકાઈ જતી. ભીમદેવના બાહુબળ પર વિશ્વાસ હોવાથી બંને ભાઈઓએ એમને રાજય સોંપીને કાશીની યાત્રાએ જવા પ્રયાણ કર્યું, ત્યારે માલવામાં મુંજનું રાજય ચાલતું હતું. ગુર્જર રાષ્ટ્ર સાથે માલવાને બનતું નહોતું. બંને રાજ્ય વચ્ચે થોડોઘણો વેર-વિરોધ તો ચાલતો જ હતો, આવા અવસરે દુર્લભરાજ-નાગરાજ માલવા-મંડલમાં થઈને કાશી જવા નીકળ્યા, ત્યારે માલવપતિ મુંજે એમને રોકીને ખોટો ષ ઠાલવતાં કહ્યું : તમે આ રીતે આ માલવા મંડલ પરથી પસાર નહિ થઈ શકો ! કાપેટિક-સંન્યાસીનો વેશ લઈને તમે જતા હો, તો મારે તમારા માર્ગને આંતરવો નથી, પણ આ વેશમાં તો તમને હું આગળ નહિ જ વધવા દઉં. હા, આ વેશમાં પણ જવું હોય, તો એક રસ્તો છે : તમે મને યુદ્ધમાં જીતી લો, તો આ વેશમાં ખુશીથી આગળ વધી શકો છો ! - દુર્લભરાજ અને નાગરાજના મનમાં તો કાશી યાત્રાની પ્રબળ ભાવના હતી, માટે વેર-વિરોધ અને સંગ્રામની જળો-જથામાં તેઓ શાના જકડાય ? એથી કાપેટિકનો વેશ ધારણ કરીને એઓ આગળ વધી ગયા. પણ આ વાત જ્યારે ભીમદેવના કાને પહોંચી, ત્યારે તેજોષથી પ્રેરાઈને માલવાએ પોતાના કાકા અને પિતાના કરેલ આ
૫૪ ૬ આબુ તીર્થોદ્ધારક