________________
નેઢ-વિમલની જુગલ જોડી પાટણની પ્રજામાં વધુ ને વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. | નેઢ અને વિમલ આ બે ભાઈઓમાં નેઢનું વ્યક્તિત્વ અનેક ગુણોથી સુશોભિત હતું, એ રૂપરંગે પૂરો હતો. એની બોલચાલમાં જાદુ હતો. પરંતુ વિમલને વરેલું વિશિષ્ટત્વ તો વિરલની કોટિમાં મૂકવું પડે, એવું હતું. એ બોલતો અને જાણે ફૂલડાં ખરતાં ! એ ચાલતો અને પાયલના ઝંકાર રેલાતા ! એ ઊભો રહેતો અને જાણે ચોમેર તેજતેજના ફુવારા ઊછળવા માંડતા ! બંને ભાઈઓની ધર્મનિષ્ઠા પણ પ્રતિષ્ઠા પામવાને યોગ્ય જ હતી ! એ બે પ્રભુ-પૂજા કરવા કાજે જ્યારે પૂજનની સામગ્રીથી સજ્જ થાળ હાથમાં લઈને પસાર થતા, ત્યારે લાગતું કે, જાણે કોઈ બે દેવકુમારો જ જઈ રહ્યા છે ! તદુપરાંત માતા વીરમતિએ એમના ઘડતર માટે પોતાનું સમગ્ર લક્ષ કેન્દ્રિત કર્યું હોવાથી વિનય-વિનમ્રતા, ગાંભીર્ય-વૈર્ય, દયા-દાક્ષિણ્ય, સરળતા-સૌજન્ય આ અને આવા કેઈ ગુણોની જોડલી એમના જીવનમાં એવો વિકાસ સાધી રહી હતી કે, એમની પર એક વાર કટ્ટર શત્રુ ને પણ પ્રેમનો અમૃતકળશ ઢોળી દેવાની ઈચ્છા થઈ જ જાય.
વિમલ જ્યારે ગર્ભસ્થ હતો, ત્યારે માતા વિરમતિએ પોતાના મનમાં શુભ ભાવોની જે ભરતીની અનુભૂતિ કરી હતી તેમજ પોતાના દિલમાં ગર્ભસ્થ શિશુના શુભ ભાવિના સંકેત બની જતા જે દોહલા જાગ્યા હતા, એ બધું એને અત્યારે અવારનવાર યાદ આવતું અને પછી એ જ્યારે વિમલને સ્થિર નજરે કોક વાર નિહાળતી, ત્યારે એનું અંતર ભાવિની અનેક શુભ કલ્પનાઓના આગમન-અવતરણથી ઊભરાઈ ઊઠતું.
રાજકારણમાં ખેલાતા દાવપેચથી અને રમાતી કપટની બાજીથી શાણી વિરમતિ પૂરી પરિચિત હતી. એથી પોતાના આ પુત્રો દ્વારા એવું કોઈ નિમિત્ત કોઈને મળી ન જાય કે એવું કોઈ છિદ્ર કોઈ ધોળે દહાડે દીવો લઈને ગોતવા નીકળે, તોય શોધી ન શકે, એવું ઘડતર કરવાના મંત્રીશ્વર વિમલ 39 ૬૧