________________
ત્રણ વાર બન્યું. પ્રજામાંય આ વાત ચર્ચાસ્પદ બની. સૌ ખુલ્લી રીતે એમ બોલવા માંડ્યા કે “આ તો ચાવડાનું દાન' છે, મળ્યા પછી ક્યારે પાછું ઝૂંટવી લેવાય, એ કોણ જાણે ! દાન જાહેર થયા પછી મળવાની સંભાવના ન હોય, એવી પરિસ્થિતિને લોકો “ચાવડાનું દાન” કહીને પરિહાસ ઉડાવવા માંડ્યા.
સ્વમાની અને પ્રચંડ પરાક્રમી મૂળરાજ પણ પોતાના મામાની છોકરમત જેવી આ રમતથી વાજ આવી ગયો હતો, એથી એક દહાડો બરાબર લાગ જોઈને અને આસપાસના વાતાવરણને સલામત બનાવીને મૂળરાજે સામંતસિંહનું કાસળ કાઢી નાખ્યું અને પાટણની રાજગાદી પરથી ચાવડા વંશનો અંત લાવીને ચૌલુક્ય વંશના વિજયધ્વજને ધારણ કરીને સમગ્ર ગુર્જર રાષ્ટ્રની સત્તા એણે હસ્તગત કરી. પાટણના રાજ્ય સિંહાસન પર ચૌલુક્ય વંશની સ્થાપનાના શુભારંભ રૂપે મૂળરાજનો રાજ્યાભિષેક થયો, ત્યારે એની ઉંમર ૨૧ વર્ષની હતી અને ત્યારે વિક્રમનું ૯૯૮મું વર્ષ અને અષાઢ સુદ પૂર્ણિમાની તિથિ હતી.
ઉત્સાહ, સાહસ, ધર્મ અને ધર્મના અનેકવિધ પ્રસંગો દ્વારા ઇતિહાસને કેટલાંય સુવર્ણ-પ્રકરણો આપી જનાર મૂળરાજે વિ. સં. ૯૯૮ થી પપ વર્ષ સુધી ગુર્જર રાજ્યનું સફળ સુકાન સંભાળ્યું. એમની પછી ગુર્જર રાજ્યના અધિષ્ઠાતા ચામુંડરાજ બન્યા અને વિ. સં. ૧૦૫૩ થી ૧૩ વર્ષ સુધી એમનું સામ્રાજ્ય રહ્યું. એમની ગાદીએ વલ્લભરાજ આવ્યા. માત્ર ૬ મહિનાનું રાજ્ય ભોગવીને મૃત્યુ પામનારા એમની ગાદી પર એમના ભાઈ દુર્લભરાજનો અભિષેક થયો. પાટણમાં દુર્લભ સરોવરનું નિર્માણ આ અરસામાં થયું.
વિ. સં. ૧૮૬૬ થી ૧૧ વર્ષ ૬ મહિના સુધી પાટણની રાજગાદી પર પ્રતાપી રાજ્ય કરીને મૃત્યુને વરેલ દુર્લભરાજ પછી એમના ભાઈ નાગરાજના પ્રતાપી પુત્ર ભીમદેવ વિ.સં. ૧૦૭૮ના ષ્ઠ સુદ ૧રના મંગળવારના મંગળ દિવસે પાટણની રાજગાદી પર અભિષિક્ત મંત્રીશ્વર વિમલ ર૦ ૫૧