________________
થયા અને ૫૦ વર્ષની પ્રૌઢ વયે એમણે ગુર્જર રાષ્ટ્રનું સુકાન હાથમાં લીધું.
યુદ્ધકળામાં અને વિશેષ કરીને બાણકળામાં એ ભીમરાજ વિશેષ નિપુણ હતા, એથી ‘બાણાવળી' તરીકે એઓ ઠીક ઠીક પ્રસિદ્ધિ પામ્યા હતા. રાજા ભીમ અને દંડનાયક શ્રી વિમલ આ બે સમકાલીન શક્તિવ્યક્તિઓ હોઈને હવે આપણે આ બેના જીવનવહેણની સાથે આગળ વધતાં વધતાં દંડનાયક વિમલે જે યશસ્વી, તેજસ્વી અને રોમાંચક ધર્મપ્રભાવના કરી, એની થોડીઘણી ઝાંખી મેળવીને ધન્ય તેમજ કૃતાર્થ બનીએ.
પર
આબુ તીર્થોદ્વારક