________________
ત્યાં બરાબર ફાવી ગયું. થોડા મહિનાઓ પસાર થયા. એવામાં કટોકટીનો એક પ્રસંગે ઉપસ્થિત થયો.
લીલાદેવી ગર્ભસ્થ હતાં, ત્યારે એકાએક એ એવા ભયંકર રોગનાં ભોગ બન્યાં કે, વૈદ્ય-હકીમો પ્રયાસ કરતા જ રહ્યા અને લીલાદેવીનું પ્રાણપંખેરું ઊડી ગયું. આ પૂર્વે જ મંત્રીઓને ખાતરી થઈ ગઈ હતી કે, લીલાદેવીને તો હવે કાળ નક્કી લઈ જ જવાનો છે, પણ એમના પેટમાં પોઢેલા શિશુને હજી બચાવી લેવાય એમ છે. એથી તરત જ શસ્ત્રક્રિયા દ્વારા લીલાદેવીના પેટનો પડદો ખોલીને, કુક્ષિસ્થ બાળકને બચાવી લેવામાં આવ્યો હતો. અયોનિજ આ બાળકને જ્યારે લીલાદેવીની કુક્ષિમાંથી બહાર કાઢવામાં આવ્યો, ત્યારે આકાશના પ્રહ-ચાર મુજબ મૂળ નક્ષત્ર હતું. એથી આ બાળકનું નામ મૂળરાજ રાખવામાં આવ્યું. અભુત એનું તેજ હતું, અપ્રતિમ એનું લાવણ્ય હતું. સામંતસિંહને જયારે બહેનના અકાળ મૃત્યુની યાદ દર્દભીની બનાવી જતી, ત્યારે એઓ આ ભાણિયા મૂળરાજનું મો જોતા અને બધું દર્દ ભુલાઈ જતું!
મૂળરાજના પુણ્ય-પ્રભાવના ચમકારા થોડા જ વખતમાં સૌ અનુભવી રહ્યા. એ વયથી વધતો ગયો, એમ એના મામા સામંતસિંહ વૈભવથી પણ વધતા ગયા. શૈશવ વટાવીને મૂળરાજ જ્યારે કુમારાવસ્થામાં આવ્યો, ત્યારે તો જાણે “નવયુવાન' જેવો પ્રતાપી જણાવા માંડ્યો. થોડાં વધુ વર્ષ વીત્યાં. હજી યૌવનનું આગમન થાય, એ પૂર્વે તો મૂળરાજના કાંડામાં જાણે પાટણનું શાસન ચલાવવાનું કૌવત ઊભરાવા માંડ્યું.
સામંતસિંહ હવે જીવનના વનમાં પ્રવેશી ચૂક્યા હતા. એથી એમણે મૂળરાજનો રાજ્યાભિષેક કર્યો. પણ થોડા મહિના ગયા, ત્યાં તો એમને એવો ભય પેઠો કે, આ ભાણિયાનો ભાણ બહુ તપે છે, પછી મારો ભાવ કોણ પૂછશે ? એથી મામાએ ભયપ્રેરિત બનીને ભાણિયાને રાજગાદી પરથી ઉઠાડી મૂક્યો. આવું એક વાર નહિ, બે
૫૦ આબુ તીર્થોદ્ધારક