________________
એક કાપેટિકના મોઢેથી આવી નિર્ભિક વાત સાંભળીને સામંતસિંહને એની પરીક્ષા લેવાનું મન થયું. એમણે કહ્યું : અશ્વ પર બેસતાં આવડતું હોય, તો બેસી બતાવો. આ તો રાજ-અશ્વ છે !
સામંતસિંહ અશ્વ પરથી નીચે ઊતરી ગયા ને એ અશ્વ પર કાપેટિક-રાજ એવી અદાથી ચડી બેઠો કે, આ તમાશો જોવા એકઠી થયેલી પ્રજા બોલી ઊઠી : વાહ ! વાહ ! કેવો અદ્ભુત સંયોગ ! અશ્વથી આ કાર્પટિક કેવો શોભી ઊઠ્યો અને કાર્પેટિકથી આ અશ્વ કેવો શોભી ઊઠ્યો !
સામંતસિંહ એમ માનતા હતા કે, આ અશ્વ પોતાની પીઠ પર કોઈને બેસવા નહિ દે ! પણ કાપેટિકે એવી કુશળતા વાપરી કે, અશ્વ એના સ્પર્શ જ હર્ષથી હેકારવ કરી રહ્યો. એથી એમને થયું કે, આ કાપેટિક સામાન્ય માણસ ન હોવો જોઈએ, એમણે કાપેટિકનો પરિચય પામવા પૂછ્યું કે, ક્યાંથી આવો છો ? તમારી રૂપાળી આ કાયા સાથે આ વેશ બંધબેસતો લાગતો નથી ! માટે જાતને છુપાવ્યા વિના વાત કરો.
કાપેટિકે કહ્યું : જો અંતરની જ વાત સાંભળવી હોય, તો તો એકાંત જોઈએ ! સામંતસિંહ તરત જ એ કાપેટિકને લઈને રાજમહેલે પહોંચ્યા. કાર્પટિકે બધી વાત દિલનાં દ્વાર ખોલીને કહી નાખી. સામંતસિંહને હવે ખ્યાલ આવ્યો કે, આની પર પોતાને પેદા થયેલી લાગણી નિષ્કારણ નહોતી. એઓ એને ભેટી પડતાં બોલ્યા : રાજ ! તો તો આપણે એક જ વંશના ગણાઈએ. ભૂયડદેવ તો અમારા પૂર્વજ ગણાય. એમના વંશમાં તમે આવ્યા !
સામંતસિંહે હૈયાનું બધું જ વહાલ આપીને રાજને વશ બનાવી દીધો, પછી તો એ ત્યાં જ રહીને કાયાથી અને કળાથી સમૃદ્ધ બન્યો. સામંતસિંહને લીલાદેવી નામની એક બહેન હતી, આ બહેનને એમણે રાજ સાથે પરણાવી અને તેઓના સંબંધ વધુ ગાઢ બન્યા. રાજને પણ મંત્રીશ્વર વિમલ ર૦ ૪૯