SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેમરાજ પછી ૨૯ વર્ષ સુધી ભૂયડદેવનું રાજય ચાલ્યું, એણે પાટણમાં ભૂયડેશ્વરનું પ્રસિદ્ધ મંદિર બંધાવ્યું. ભૂયડ પછીનાં ૨૫ વર્ષ સુધી વૈરસિંહે પાટણની રાજગાદીને શોભાવી. વૈરસિંહની પાટે રત્નાદિત્યનો અભિષેક થયો અને ૧૫ વર્ષ સુધી એનું રાજ્ય ચાલ્યું. એમની વિદાય પછી વિ. સં. ૯૯૧માં પાટણની રાજ્યધુરા સામંતસિંહના હાથમાં આવી. સાત વર્ષ સુધી રાજકાજ સંભાળીને, ચાવડા વંશના છેલ્લા-સાતમાં રાજા તરીકેનું માન પામીને એણે વિદાય લીધી. એ વખતે વિક્રમનું ૯૯૮મું વર્ષ ચાલી રહ્યું હતું. ત્યારે સામંતસિંહની સત્તાનો સૂર્યાસ્ત થયો. આ સૂર્યાસ્તનાં અંધારાં ચાવડા વંશને એવી રીતે ઘેરી વળ્યાં કે, એ ઘેરામાંથી ચાવડા વંશ બહાર ન જ આવી શક્યો અને એથી આ પછી પાટણની રાજગાદી પર, ચૌલુક્યવંશીય રાજવીઓના સૂર્યોદયનાં અજવાળાં પ્રકાશ પાથરવા માંડ્યાં ! ગુજરાતની ગાદી પર “ચાવડા'માંથી “ચૌલુક્ય વંશના થયેલા રાજપલટાની રોમાંચક વિગતો જાણવી હોય, તો મૂળરાજના જીવન પર એક આછો-પાતળો દષ્ટિપાત કરવો ખૂબ જ જરૂરી ગણાય, કારણ કે ચૌલુક્ય વંશના પ્રારંભક તરીકે મૂળરાજનું નામ ઇતિહાસપ્રસિદ્ધ છે. ચાવડાવંશીય ભૂયડનું રાજ્ય પાટણના તપ્ત પર વિ. સં. ૯૨૨ વર્ષ સુધી એકધારું ચાલ્યું. આ ભૂયડના વંશમાં આગળ જતાં મુંજાલદેવ નામના પરાક્રમી પુરુષ થયા, એમને રાજ, બીજ અને દંડક નામના પ્રતાપી ત્રણ ત્રણ પુત્રો હતા. આ ત્રણે ભાઈઓ એક વાર સોમેશ્વરની યાત્રાએ ગયા. ત્યાં એમણે પાટણ પર રાજ્ય ચલાવતા ચાવડા વંશના સામંતસિંહની ઋદ્ધિ-સમૃદ્ધિની અનેક વાતો સાંભળી અને પાટણપતિને મંત્રીશ્વર વિમલ 29 ૪૭
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy