________________
લોહિયાળ લક્ષ્મીથી પાટણના રાજકોશને સમૃદ્ધ બનાવવાનો એણે નિર્ણય લઈ લીધો અને આ નિર્ણય મુજબ થોડા જ દિવસોમાં ક્ષેમરાજ પોતાના ભાઈઓ તેમજ સેનાના સથવારા સાથે પ્રભાસપાટણ જઈ પહોંચ્યો. ઊંઘતા પર છાપો મારવાની અદાથી ત્યાં લાંગરેલાં વહાણો પર છાપો મારીને એણે લખલૂટ લક્ષ્મીની બેફામ લૂંટ ચલાવી. ત્યારે એને એટલોય વિચાર ન આવ્યો કે, અત્યારે અન્ય પ્રદેશોમાં ચાવડા રાજાઓની “ચોર-રાજા” તરીકેની જે અપકીર્તિ ફેલાઈ રહી છે, એમાં આ લૂંટની ઘટનાથી ઠીક ઠીક વેગ મળશે. આટલો પણ વિચાર આવ્યો હોત, તો ક્ષેમરાજ હરગિજ આવું અન્યાયી પગલું ન ભરત !
લૂંટની લક્ષ્મી તરીકે અઢળક ધન મળ્યું હતું. ૧૦ હજાર તેજસ્વી અશ્વો, અનેક હાથીઓ અને કરોડોનું રોકડ નાણું જોઈને ક્ષેમરાજને થયું કે, આ બધું જોઈને પિતાજી ન્યાય-અન્યાય સાવ ભૂલી જ જશે અને આપણી પીઠ થાબડીને આપણાં ઓવારણાં લેશે ! આવી આશાઓ સજીને ક્ષેમરાજ અણહિલ્લપુર પાટણ આવ્યો અને લૂંટમાં મળેલી લક્ષ્મીને પિતાજી સમક્ષ રજૂ કરીને એણે પૂછ્યું : પિતાજી ! આપના સાહસિક સંતાન તરીકે, અણહિલ્લપુર પાટણની અસ્મિતાની અભિવૃદ્ધિના એક અમોઘ ઉપાય તરીકે અમે આ જે પગલું ભર્યું છે, એ આપની દૃષ્ટિએ ઉચિત છે કે અનુચિત?
યોગરાજના અંતરના પટમાં ઊભો ચીરો પડી ગયો હતો. વેદના અને આઘાતથી એમનું મન ભાંગી પડ્યું હતું. છતાં ધર્યને ધારણ કરીને એમણે કહ્યું : બેટાઓ ! મૌન રહેવામાં જ મજા છે, તમારી આ પ્રવૃત્તિને ઉચિત ગણાવું, તો ચોરનો ભાઈ ઘંટીચોરમાં મારો નંબર લાગે અને અનુચિત ગણાવું, તો તમારું દિલ દુભાય, માટે બોલો, હવે હું મૌન ન રહું, તો બીજું કશું પણ શું?
યોગરાજની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં, એ ઝળઝળિયાં જાણે અંદરમાં અંતરમાં જાગેલા પશ્ચાત્તાપના તાપથી પેદા થયેલી વરાળ જેવાં જણાતાં હતાં. એમણે જરાક સ્વસ્થ બનીને પુત્રોને કહ્યું : બેટાઓ ! મંત્રીશ્વર વિમલ ૦ ૪૫