SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસનાં ઉલ્લેખો પ્રમાણે વનરાજ ચાવડા પછીના બે ત્રણ રાજાઓના સમય સુધી મંત્રી-ધુરા શ્રી લહિરના હાથમાં રહી. વનરાજની વિદાય પછી પાટણની ગાદી પર એમના પુત્ર યોગરાજનો રાજ્યાભિષેક થયો. યોગરાજ એક દીર્ધાયુષી તેમજ ન્યાયનિષ્ઠ રાજવી તરીકેનું અદ્ભુત જીવન જીવી ગયા. એમને ક્ષેમરાજ આદિ ત્રણ પુત્રો હતા. ૩૫ વર્ષના એમના રાજકાળ દરમિયાન સરજાયેલો ઇતિહાસ મોટા પ્રમાણમાં અનુપલબ્ધ હોવા છતાં ૧૨૦ વર્ષની વયે, કર્તવ્યની વેદી પર જે રીતે એમણે બલિદાન આપ્યું, એનો નોંધાયેલો એક પ્રસંગ તો ખૂબ જ રોમાંચક-પ્રેરક છે. ક્ષેમરાજ પિતૃભક્ત અને ન્યાયમાં માનનારો પુત્ર હોવા છતાં ગમે તેમ કરીને, ગમે તે ભોગે ગુર્જર રાષ્ટ્રના રાજકોશને સંપત્તિથી ભરપૂર બનાવી દેવાની અધીરાઈનો એ ભોગ બન્યો હતો. એક વાર આ અધીરાઈના અગ્નિમાં, ઘીની આહુતિની ગરજ સારે એ જાતના એક સમાચાર અને સાંભળવા મળ્યા અને પોતાના વૃદ્ધ પિતા યોગરાજના ધર્મદિલનો જરાય વિચાર કર્યા વિના એક અવિચારી અને અન્યાયી પગલું ભરવાનો એણે નિર્ણય કરી નાખ્યો. એમાં એના બે ભાઈઓ પણ રાજીખુશીથી જોડાઈ ગયા. બન્યું હતું એવું કે, અન્ય દેશનાં વહાણોનો એક કાફલો ઠીકઠીક કમાણી કરીને પાછો ફરી રહ્યો હતો, ત્યારે એ સોમેશ્વર-પ્રભાસ પાટણની આસપાસના દરિયામાં ઊઠેલી આંધીનો ભોગ બન્યો હતો અને એથી સ્વ-બચાવ માટે એ બધાં વહાણો પ્રભાસપાટણના દરિયાકિનારે લાંગર્યાં હતાં, તેમજ એનો અધિપતિ સ્વચ્છ આકાશની પ્રતીક્ષા કરતો, અનુકૂળ વાયુમંડળની રાહ જોતો સમય પસાર કરી રહ્યો હતો. આ સમાચાર ગુપ્તચરો દ્વારા ક્યાંકથી ક્ષેમરાજના કાનમાં અથડાયા અને પોતાની પ્રતિષ્ઠાનો કે પોતાના વયોવૃદ્ધ પિતાજીની આબરૂનો જરાય વિચાર કર્યા વિના એ વહાણોને લૂંટીને એની ૪૪ ૯૬ આબુ તીર્થોદ્ધારક
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy