________________
પ્રતાપી પૂર્વજોની પુણ્ય-પરંપરા
વનરાજ ચાવડાએ અણહિલ્લપુર પાટણની સ્થાપના દ્વારા અજેય ગુર્જર રાષ્ટ્રનો જે પાયો નાખ્યો, એ પાયાને મજબૂત બનાવવાનું કાર્ય ચાવડા વંશમાં થયેલા સાત સાત રાજાઓ સુધી એકધારું ચાલતું રહ્યું ! પછી સમયચક્રે પલટો લીધો અને પાટણની ગાદી પર સોલંકીચૌલુક્ય રાજાઓના શાસન-કાળનો પ્રારંભ થયો. વિ. સં. ૮૦૨ થી ૯૯૮ સુધી ગુર્જર રાષ્ટ્રની અખંડ ધુરા અને અણહિલ્લપુર પાટણના રાજસિંહાસનનાં સૂત્રો જેમ ચાવડા-વંશ સંભાળતો રહ્યો, એમ મંત્રી-પદની પરંપરા નીના શ્રેષ્ઠીના વંશજો સંભાળતા રહ્યા.