________________
ગુર્જર રાષ્ટ્ર માટે અંતે એક એવી ગોઝારી પળ આવી, જ્યારે વનરાજ ચાવડાનો જીવન-દીપ બુઝાયો. વિ. સં. ૮૦૫ થી ૫૦ વર્ષ ૨ મહિના અને ૨૧ દિવસ સુધીનું પ્રતાપી રાજ્ય ભોગવીને દિવંગત બનેલા વનરાજ ચાવડાનું મૃત્યુ અનેકને માટે આઘાતજનક બની ગયું, પણ એ આઘાત વચ્ચે ય કંઈક સાંત્વના લેવા જેવી વાત એ હતી કે, પોતાની પાછળ યોગરાજ જેવા પ્રતાપી અને નીતિનિષ્ઠ પુત્રને પેદા કરીને વનરાજ ચાવડાએ ૧૧૦ વર્ષની વયે આ વિશ્વમાંથી વિદાય લીધી હતી !
૪૨
આબુ તીર્થોદ્વારક