SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ કષ્ટોનો સામનો કરીને વિંધ્ય સુધી પહોંચ્યા, એથીય કઇ ગણાં કષ્ટોને પગ નીચે કચડીને એક દહાડો પુનઃ પાટણને પાદરે આવી કાર્ય સિદ્ધ કરીને ઊભા. એમના પગલે પગલે હાથીઓ અને અશ્વોની વણઝાર જ્યારે પાટણમાં પ્રવેશી, ત્યારે રાજા વનરાજથી માંડીને નાનામાં નાનો એક પ્રજાજન પણ મંત્રી લહિરની આ સિદ્ધિને પ્રશંસાનાં પુષ્પોથી વધાવ્યા વિના ન રહી શક્યો. આ સ્મૃતિ રૂપે મંત્રી લહિરને “સંડસ્થલ” નામનું એક ગામ ભેટ અપાયું. આ અને આવાં અનેક સાહસો દ્વારા કેટલીય સિદ્ધિઓ પ્રાપ્ત કરીને, મંત્રી લહિરે ગુર્જર રાષ્ટ્રનું નામ રોશન કર્યું. નીના શ્રેષ્ઠી આવા પ્રતાપી પુત્રના પિતા બનવા બદલ જાતને ધન્ય માનવા માંડ્યા. આ જીવનમાં અનેક અનુભવો માણીને, કેટલીય ધૂપ-છાંવ વેઠીને અને ધર્મના રંગને દિનદિન ચડતો રાખીને, જીવનની સફળતા અંગે સંતોષ અનુભવનાર નીના શ્રેષ્ઠી એક દહાડો હસતા હસતા આ વિશ્વમાંથી વિદાય લઈને પરલોકના પંથે પ્રયાણ કરી ગયા. આ બનાવ પર થોડાંક વર્ષો વીત્યાં અને નીનાશેઠની ધર્મપત્ની સુલલિતાદેવીએ પણ જેને માંગવાનું મન થાય, એવું સમાધિ-મૃત્યુ મેળવી જાણ્યું. આ અરસામાં મંત્રી લહિરે જે નામના અને રાજકૃપા મેળવી હતી, એ ભલભલાને મોંમાં આંગળી નંખાવે એવી હતી. ત્યારે એમની પોતાની ટંકશાળામાં એમના નામના સિક્કા પડતા હતા. મંત્રી લહિરની કીર્તિપતાકાઓ આમ દશે દિશામાં ફરકવા માંડી. પાકેલા ફળને ઝાડ પરથી નીચે પડવા સિવાય બીજો કોઈ ભય હોતો નથી, જન્મેલા માણસને મરવા સિવાય મોટો બીજો કોઈ ભય હોતો નથી. કુદરતનો આ અફર ક્રમ છે. પોતાની નામના-કામનાથી ભલભલા ભડવીરોને હંફાવનાર અને ગુર્જર રાષ્ટ્રના સામ્રાજ્યનું સ્વપ્ન સાકાર કરવા જીવનભર વીરતાથી ઝઝૂમીને, જીવનના ઉત્તરાર્ધમાં એમાં ઝળહળતી સિદ્ધિ મેળવનાર વનરાજ ચાવડા જેવા રાજવી પણ આ ક્રમની સામે પરાક્રમ કરીને એને તોડી શકે, એ શક્ય ન હતું. મંત્રીશ્વર વિમલ ૨૦ ૪૧
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy