SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિ વ્યક્ત કરવા એક એવું ફરમાન બહાર પડાવ્યું કે, શ્રી શીલગુણસૂરિજીની આજ્ઞા માનનાર એટલે કે ચૈત્યવાસી સાધુઓ જ પાટણમાં રહી શકે ને ધર્મોપદેશ આદિ આપી શકે. ૫૦ વર્ષની વયે પાટણની ગાદી પર આવનાર વનરાજ ચાવડો જેમ ભારે બાહોશ હતો, એમ વ્યક્તિવિશેષમાં રહેલી અણમોલ અજોડતાઓનો પૂરો પારખું પણ હતો. એથી જ તો એણે શ્રી લહિર, ચાંપા વણિક આદિ જેવા અનેક જૈન મંત્રીઓએ પોતાના રાજ્યમાં અગ્રગણ્ય સ્થાન આપીને સામ્રાજય-વૃદ્ધિનો એક લૂહ આબાદ સફળ બનાવ્યો હતો. | શ્રી નીના શ્રેષ્ઠી મંત્રી ભલે ન હતા, પણ મંત્રીપુત્રના પિતા તો હતા જ. તેમજ એમનામાં દાનવીરતા, આપત્તિમાં માર્ગ કાઢવાની કાબેલિયત આદિ કેટલાક ગુણો એવા તો અસાધારણ હતા કે, પાટણમાં એક પ્રતિષ્ઠિત પરિવાર તરીકે એમનાં નામ-કામ પર ફૂલ મુકાવા માંડ્યાં, એઓ વિદ્યાધર ગચ્છના અનુરાગી શ્રાવક હતા, એથી આ ગચ્છના આચાર્યોના ઉપદેશાનુસાર શ્રી ઋષભદેવ-પ્રભુના એક ભવ્ય જિનમંદિરનું નિર્માણ એમણે પ્રારંવ્યું. રાજકાજની અનેકવિધ પ્રવૃત્તિઓનો ભાર સાથે હોવા છતાં લહિરમંત્રીએ પણ આનો પાયો પૂરવાથી પ્રારંભીને પ્રતિષ્ઠા સુધીના કાર્યમાં ઊંડો રસ લીધો. આ મંદિરના નિર્માણ પછી તો નીના શ્રેષ્ઠીનું નામ કોઈથી અજાણ્યું ન રહ્યું. એ કાળે સારા સારા હાથીઓ રાખવા, એ રાજાઓ માટે વિશિષ્ટ શોખ અને શાખની વાત ગણાતી. એમાંય ત્યારે વિભ્ય દેશના હાથીઓ તો ખૂબ ખૂબ વખણાતા. એક વાર લહિરમંત્રીને થયું કે, વિંધ્યના હાથી જો પાટણના પાદરે આવે, તો ગુર્જર રાષ્ટ્રની ગૌરવ-ગાથામાં એક સુવર્ણ કલગી ઉમેરાય ! એક તો વિખ્ય સુધી પહોંચવું, પછી ત્યાંથી હાથી મેળવવા અને ત્યારબાદ હાથીઓને ગુજરાત સુધી દોરી લાવવા – આ બધી એક એકથી વધુ કષ્ટસાધ્ય બાબતો હતી. પણ લહિર મંત્રી પાસે ઉત્સાહ અને સાહસની મૂડી મોટી હતી. એથી એઓ જેટલાં ૪૦ આબુ તીર્થોદ્ધારક
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy