SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ અને પંચાસર-પાર્શ્વનાથ-પ્રભુના જયજયકારથી પાટણનો ખૂણેખૂણો ગુંજી ઊઠ્યો. ભિન્નમાલથી નીકળીને ગાંભુમાં જઈ વસેલા શ્રી નીના શ્રેષ્ઠીએ જેમ ગાંભુમાં અઢળક ધનની સાથે નામના-આબરૂ એકઠી કરી હતી, એમ વનરાજના આમંત્રણથી પાટણમાં આવીને વસ્યા બાદ એથીય વધારે નામ-કામની કમાણી નીના શેઠ કરી શક્યા હતા. પુત્ર લહિરનું નવયૌવન તો ઓર ખીલી ઊઠ્યું હતું, શ્રી સુધમદિવી સાથે લહિરનું લગ્ન પણ થઈ ગયું હતું. એથી એઓ બધા પાટણ આવીને વસ્યા એ પછીના થોડા જ દિવસોમાં શ્રેષ્ઠી નીનાના પુત્ર લહિરમાં રહેલા બળકળથી પૂરા પરિચિત બની ચૂકેલા વનરાજે એને મંત્રીપદથી સન્માનવાનો નિર્ણય અમલમાં મૂકી દીધો અને એથી વનરાજનું રાજ્ય શ્રેષ્ઠી લહિર, ચાંપા વણિક આદિ જૈન મંત્રીઓથી સમૃદ્ધ બનતું દઢમૂલ બની રહ્યું, તેમજ જૈન મંત્રીઓથી પ્રતિષ્ઠિત આ રાજયનો વિદ્વેષી કદી આબાદી ન ભોગવી શકે, એવી ધાક ચોમેર ફેલાઈ રહી ! ગુર્જર રાષ્ટ્ર, વનરાજ ચાવડો, મંત્રી લહિર, અણહિલપુર પાટણ તેમજ પંચાસરથી આણેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના ભવ્ય જિનાલયથી મંડિત શ્રી વનરાજ-વિહાર : આ બધાની કીર્તિ એકબીજાની વચ્ચે જાણે હરીફાઈ ન જામી હોય, એ રીતે દિવસે દિવસે વૃદ્ધિ પામવા માંડી. વર્ષો વીતવા માંડ્યાં અને આ બધાની કીર્તિ-કથાઓ દેશ-પરદેશમાં ગવાવા માંડી ! શ્રી શીલગુણસૂરિજી સંતોષ અનુભવી રહ્યા હતા કે, વનરાજને આપેલો આશ્રય જિનશાસનની પ્રભાવના વધારવામાં ઠીક ઠીક નિમિત્ત બની ગયો ! વાત પણ સાચી હતી. વનરાજે શ્રી શીલગુણસૂરિજીએ કરેલા ઉપકારના ઋણમાંથી આંશિક મુક્તિ મેળવવા ઘણું ઘણું કર્યું હતું. શ્રી પંચાસરા-પાર્શ્વનાથ જિનાલયનું ભવ્ય અને તીર્થની શોભા ધરાવે એવું નવનિર્માણ આ ઋણમુક્તિના પ્રયાસનું જ એક ફળ હતું, તદુપરાંત વનરાજે પોતાના ગુરુ શ્રી શીલગુણસૂરિજી તરફની શ્રદ્ધામંત્રીશ્વર વિમલ ર૦ ૩૯
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy