________________
બેઠો હતો કે, ચોક્કસ આ ભૂમિનો જ એ પ્રભાવ છે કે, અહીં બળવાન પણ હારી જાય છે અને નબળો પણ જીતી જાય છે ! એથી આ ભૂમિ પર જો કોઈ નગરી વસાવવામાં આવે અને એ ગુર્જર રાષ્ટ્રની પાટનગરી બને, તો ગમે તેવો બળવાન રાજા પણ આ નગરીને નમાવી ન શકે !
કૂવાની છાયા જેમ કૂવામાં જ સમાય, એમ એ ભરવાડનું આ સ્વપ્ન એની આંખમાં જ સમાઈ જતું હતું. એની પાસે તો એવી શક્તિની આશા પણ ક્યાંથી રાખી શકાય કે, જે શક્તિના આધારે નગરીના નિર્માણનો નકશો પણ તૈયાર થઈ શકે ! એ બિચારો ભરવાડ રોજ ઢોર ચરાવવા આવતો, બપોર થતાં એક વડલાના વિસામે એ આરામ કરતો, એની આંખ જરાક બંધ થતી અને સસલા-કૂતરાની લડાઈનું એ સ્વપ્ન અને એ મનોરથ એની આગળ ઊપસી આવતા. બસ ! બરાબર આ જ રીતે એક દિવસ એ વડલાના વિસામે આરામ કરવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યાં જ એની નજર કોઈ શોધમાં નીકળેલ થોડા માણસો પર પડી. એને કુતૂહલ થયું. નજીક જઈને એણે પૂછ્યું, શું શોધવા નીકળ્યા છો ?
જવાબ મળ્યો : અમે એવી એક ભૂમિની શોધમાં છીએ કે, જ્યાં નિર્માણ પામેલી નગરી સમગ્ર ગુર્જરને અજેય રાષ્ટ્ર બનાવવા સમર્થ બને !
ભરવાડે પૂછ્યું : શું આપ પોતે જ વનરાજ છો ? ગુર્જર રાષ્ટ્રને નવી અસ્મિતા અપાવવાના મનોરથ સેવનારા મહારથી વનરાજનાં નામ-કામથી ભરવાડ પરિચિત હતો, પણ એને થયું કે, અહીંની આ ભૂમિમાં વનરાજનું આગમન ક્યાંથી સંભવિત હોય ? એથી એણે આશ્ચર્ય સાથે પૂછી નાખ્યું. જવાબ મળ્યો : હા, વનરાજ હું પોતે જ છું. મારે એવી એક નગરીનું નિર્માણ કરવું છે કે, ગમે તેવો બળવાન શત્રુ પણ જેને નમાવી ન શકે !
ન
ભરવાડની આંખ ચિર-દૃષ્ટ સ્વપ્નોની સ્મૃતિથી પાછી ઊભરાઈ ઊઠી. એના અંતરમાં પોતાના નામને અમર બનાવવાના અરમાન આબુ તીર્થોદ્ધારક
૩૬