________________
અને ઓરતા પણ જોરજોરથી આંદોલિત બની ઊઠ્યા. ઠાવકું મોં રાખીને એણે કહ્યું : વનના ઓ રાજા ! જ્યાં નબળોય બળવાન બની જાય, અને બળવાન શત્રુ પણ નબળો સાબિત થાય, એવી ભૂમિ શોધી આપવા હું તૈયાર છું. પણ એક શરતે !
વનરાજે નાણાંની કોથળી ખોલતાં કહ્યું કે, આમાંથી જેટલું જોઈએ, એટલું તું લઈ શકે છે, પણ મને એવી ભૂમિ બતાવ કે, જેની પર....
ભરવાડે એ કોથળી પરથી નજર ખેંચી લેતાં કહ્યું : મારે માટે આ દામ તો શિવનિર્માલ્ય ગણાય. મારે દામ નથી જોઈતા, મારે તો જોઈએ છે : નામ ! મારું નામ અમર રાખવાનો કોલ તમે આપતા હો, તો એવી પ્રભાવવંતી ભૂમિ બતાવું કે, જ્યાં સસલા સિંહ બની જાય અને કૂતરાને કાબૂમાં રાખે ! મારું નામ છે : અણહિલ્લ ! બોલો, મારી આ શરત મંજૂર છે?
“સો વાર મંજૂર ! જો આવી ભૂમિ તું બતાવતો હોય, તો એની પર નિર્માયેલી નગરીને “અણહિલપુર પાટણનું નામ આપવા હું અત્યારથી જ બંધાઈ જાઉં છું.”
વનરાજને તો ગમે તે ભોગે સુલક્ષણી ભૂમિની ભૂખ સંતોષવી હતી. એ વચનબદ્ધ બની ગયો. અણહિલ્લ ભરવાડના રોમેરોમમાં જાણે પ્રસન્નતાનાં પોયણાં ખીલી ઊઠ્યાં. વડલા પાસે જઈને પોતાની કામળ અને કાઠી લઈ આવીને એ વનરાજને પેલી ભૂમિ તરફ દોરી ગયો. ભાગ્યયોગે એ પળે ત્યાં સસલા-કૂતરાની લડાઈ જામેલી જ હતી. સૌએ સગી આંખે જોયું : કૂતરાની પીઠ પર ચડી બેસીને સસલો વિજય-નૃત્ય કરી રહ્યો હતો !
વનરાજનું રોમેરોમ આનંદિત બની ઊડ્યું. દિવસોની શોધ આજે સફળ બની હતી, ભૂમિ-વાદના જાણકારો પણ બોલી ઊઠ્યા કે, આ ભૂમિ ખૂબ જ સુલક્ષણી છે. રાજવી વનરાજ ! અહીંના નિર્માણમાં મંત્રીશ્વર વિમલ રે ૩૭