SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ વિકાસ સાધી શકાય, એવી એક મહાનગરીનું નિર્માણ કરવાનું કાર્યચક્ર એણે ગતિમાન બનાવ્યું. પોતાના અધિકારીઓ પાસેની કર-લક્ષ્મીના લૂંટના તેમજ પરાક્રમી વનરાજ દ્વારા ચાલી રહેલી કાર્યવાહીના સમાચાર ગુપ્તચરો દ્વારા કનોજમાં પહોંચતા રહેતા હતા, પણ ભૂવડ રાજાને લાગ્યું કે, અત્યારે હવે ઉતાવળ કરીને વીર વનરાજને વશ કરવા જતાં સમગ્ર ગુજરાતમાં બળવો જાગે, તો એની સામે ટકી શકવું મુશ્કેલ છે ! એથી એમણે બંધ આંખે બધો તમાશો જોયા કરવામાં જ ડહાપણ માન્યું. વનરાજની પરાક્રમી પ્રવૃત્તિ તો દિવસ કરતાં રાતે અને રાત કરતાં દિવસે વધુ ને વધુ જોર પકડતી રિપુષ્ટ બની રહી હતી. સેના પણ વિશાળ બની રહી હતી, કારણ કે ગુર્જર રાષ્ટ્રને ગૌરવ અપાવવા ન્યોચ્છાવર થઈ જવાની વીર-વૃત્તિ ધરાવનારા ગુર્જરો લાખોની સંખ્યા ધરાવતા હતા, એઓ એક નાયકની જ પ્રતીક્ષામાં હતા. એથી વનરાજે પોતાની બધી શક્તિને નવી પાટનગરીના નિર્માણકાર્યમાં કેન્દ્રિત કરી. એક એવી વિશાળ નગરીનું સ્વપ્ન એની આંખમાં ઘેરાતું હતું કે, જે નગરી અનેક રીતે અનોખી હોય અને ઘણા ઘણાને માટે જે દર્શનીય બને ! એથી નગરીના નિર્માણ માટે વનરાજ દિન-રાત એવી ભૂમિની ખોજમાં હતો કે, જે ભૂમિ સુલક્ષણી અને વિશિષ્ટ ગુણવાળી હોય ! વનરાજ જે પ્રદેશ પર ભૂમિ-ખોજ કરતો હતો, એ જ પ્રદેશની રજેરજનો જાણકાર એક ભરવાડ વર્ષોથી ત્યાં ઢોર ચરાવવા આવતો. એક દિવસ એની નજરે એક અજબનું આશ્ચર્ય નિહાળેલું. એક સસલું અને એક કૂતરો-આ બંનેની લડાઈ જામી હતી, સસલાની સામે કૂતરો તો ઘણો બળવાન ગણાય. પણ આ લડાઈમાં એ ભરવાડે અનેક વાર અને અનેક દિવસો સુધી ધારીધારીને જોયું કે, કૂતરો હારી જતો અને એની પીઠ પર સસલો ચડી જઈને જાણે સામ્રાજ્ય ભોગવતો હતો ! અનેક વાર આવું દૃશ્ય જોયા પછી ભરવાડના મનમાં એવો વિશ્વાસ મંત્રીશ્વર વિમલ ૩૫
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy