SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પારંગત બની ગયો. એના મામા સુરપાળ ગુર્જર રાષ્ટ્રની વર્તમાન પરિસ્થિતિથી સચિંત હતા અને ગુર્જર રાષ્ટ્રને ફરી ગૌરવ અપાવવાનાં સ્વપ્નો નિહાળી રહ્યા હતા. પણ અજેય રાષ્ટ્રના નિર્માણ માટે તો સેના જોઈએ અને સંપત્તિ વિના સેનાનું સર્જન કઈ રીતે થાય ? માટે એઓ લૂંટફાટ આદિ કરીને સંપત્તિ ભેગી કરી રહ્યા હતા. એમની આ પ્રવૃત્તિમાં વનરાજ એમને ખૂબ જ સહાયક થઈ પડ્યો. વનરાજ પાસે વિદ્યા હતી, વિક્રમ હતું, વિશિષ્ટ પુણ્ય હતું અને આ બધાથીય વધુ કિંમત ધરાવતી હિંમત હતી. એથી એ જ્યાં જતો, ત્યાંથી લૂંટમાં અઢળક લક્ષ્મી ઘસડી લાવતો. એક વાર વનરાજના કાને એવી વાત આવી કે, કનોજના અધિકારીઓ ગુજરાતમાંથી છ મહિના સુધી કરની વસૂલાત કરીને પાછા કનોજ તરફ ફરી રહ્યા છે તેમજ કરની વસૂલાત રૂપે એમની પાસે ૨૪ લાખ ચાંદીના સિક્કા અને ચાર હજાર ઉપરાંત જાતવાન અશ્વો છે ! આ પાકા સમાચાર મળતાં જ વનરાજની દાઢ સળવળી ઊઠી. એણે મામાને કહ્યું : મામા ! આ અવસર ગુમાવવા જેવો નથી, આવી અઢળક લક્ષ્મી ફરી પાછી ક્યાં ચાંલ્લો કરવા આવવાની હતી ! આટલા દ્રવ્યમાંથી તો આપણે કેટલી બધી સેના એકઠી કરી શકીએ ? સુરપાળે વનરાજની વાતને વધાવી લીધી અને બરાબર લાગ જોઈને ઊંઘતા ઉંદરો પર બિલાડી તરાપ મારે, એમ વનરાજની ટોળકીએ કનોજના અધિકારી-મંડળ પર છાપો માર્યો અને બધું ધન જપ્ત કરી લીધું. આવી અનેક લૂંટો ઉપરાંત ચાંપા વાણિયા અને શ્રીદેવી તરફથી મળેલી આર્થિક મદદની રકમ પણ ઘણી ઘણી મોટી હતી. વનરાજને વિશ્વાસ બેઠો કે, ગુર્જર રાષ્ટ્રનો પાયો નાખવા જોગી શક્તિનો સંચય હવે થઈ ગયો છે, એથી યાહોમ કરીને ઝંપલાવીશું, તો આગે આગે ફતેહ તો મળતી જ રહેશે ! આ વિશ્વાસના સહારે વનરાજે એક તરફ સેનાને વિકસાવવા માંડી, તો બીજી તરફ જ્યાં રહીને સમગ્ર ગુર્જરનો આબુ તીર્થોદ્ધારક ૩૪
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy