________________
ઉપકાર ભૂલી શકવાના નથી. વનરાજ રાજા બનશે, તો એના ધર્મગુરુ તરીકેના પદાધિકારી એક માત્ર આપ હશો ! એમાં આપ જરાય શંકા ન રાખતા. આપે અમને જે આપ્યું છે, એ ન તો કોઈ આપી શક્યું છે, તેમજ ન તો કાઈ આપી શકશે !
રાણી રૂપસુંદરીની આંખે ઝળઝળિયાં આવી ગયાં. શ્રી શીલગુણસૂરિજીની હાલત પણ એવી જ હતી. પણ એ ઝળઝળિયાં પર પાંપણનો પડદો હતો. બંને છૂટાં પડ્યાં. બંનેનાં હૈયાં આ પળે જેમ ભારેખમ હતાં, એમ એક દૃષ્ટિએ એક અકળ પરિસ્થિતિનો ઉકેલ આવી જવાથી ખાલીખમ બનીને ફૂલ જેવાં ફોરાં પણ બની ગયાં હતાં.
૩૨
આબુ તીર્થોદ્ધારક
- -