________________
એનું ક્ષાત્રતેજ આવું રક્ષાકાર્ય અદા કરી શકે ખરૂં ? વનરાજ તો કાંકરી વગેરેનો પ્રખર પ્રહાર કરીને ઉંદરને મારી રહ્યો હતો. એની ગણતરી એવી હતી કે, જો ઉંદર જીવતા રહે, તો જોખમ ઊભું રહે ને ? એના કરતાં જોખમનું આ મૂળ જ ખતમ થઈ જાય, તો પછી કોઈ જોખમની સંભાવના જ ન રહે ?
શ્રી શીલગુણસૂરિજી ઉંદર પર કાંકરીના પ્રહાર કરતા વનરાજને જોઈ ગયા અને થોડાક નિરાશ થઈને વિચારી રહ્યા કે, આ સંસ્કારો જ કહી જાય છે કે, આનામાં ધર્મનાયક નહિ, રાષ્ટ્રનાયક થવાનાં બીજ પડ્યાં છે, એથી હવે આના માટે જિનશાસનના જ્યોતિર્ધર થવાનાં સ્વપ્ન નિહાળવાનો કોઈ અર્થ નથી ! અને એક દિવસ રાણી રૂપસુંદરીને ખાનગીમાં બોલાવીને એમણે એ ઘટના કહી સંભળાવ્યા બાદ જણાવ્યું કે
“રાણીજી ! સિંહબાળને ગુફામાં ગોંધી ન રખાય કે એને જીવરક્ષાના પાઠ પઢાવવાનો પરિશ્રમ ન લેવાય. એમ વનરાજ હવે અમારી છાયા કરતાં એના મામા સુરપાળની છાયાને માટે વધુ યોગ્ય હોય, એમ લાગે છે. તલવાર તાણીને ગુર્જર રાષ્ટ્રનું સુદૃઢ નિર્માણ કરવાના એના ભાગ્યલેખ છે, એને ભૂંસી નાખીને ત્યાં ધર્મધ્વજ ધારણ કરીને પ્રભાવક ધર્માચાર્ય બનવાના લેખ કોતરવાનો પ્રયાસ કરવામાં ન તો ડહાપણ છે, કે ન તો એમાં સફળતા મળવાની સંભાવના છે ! આટલામાં બધું સમજી જવાનું શાણપણ તમારી પાસે છે, માટે વધુ સ્પષ્ટતા કરવી જરૂરી જણાતી નથી. પણ એટલું કહેવાનું દિલ રોકી શકતો નથી કે, વનરાજ રાજા બને, ત્યારે એને એટલું જરૂર યાદ કરાવજો કે, આપણી જીવન-વેલને ઊંચે ચડાવનાર કોણ હતું અને કોના પીઠબળે આપણે હેમખેમ રહી શક્યા છીએ ?'
શ્રી શીલગુણસૂરિજીએ અંતરની વાત રજૂ કરી દીધી. રાણી રૂપસુંદરીએ જવાબમાં કહ્યું : મહારાજ ! અમે કોઈ પણ કાળે આપનો મંત્રીશ્વર વિમલ
૩૧