________________
પંચાસરના ઉપાશ્રયના એક વિશાળ ખંડમાં બિરાજમાન શ્રી શીલગુણસૂરિજીની સમક્ષ સંઘના આગેવાન શ્રેષ્ઠીઓ નતમસ્તકે ખડા હતા અને સૂરિજી એઓને કહી રહ્યા હતા : જુઓ, આ નારીરત્નને આશ્રય આપવા જેવો છે અને આ બાળકને સગા દીકરાથીય સવાયા સ્નેહ સાથે ઉછે૨વા જેવો છે. વાત બહાર જાય નહિ, એનો પૂરો ખ્યાલ રાખજો ! આ મા-દીકરાને ઓળખ્યાં ? આ રાણી રૂપસુંદરી છે અને આ વનરાજ છે. તમે આને સામાન્ય ન સમજશો. ગુર્જર રાષ્ટ્રના ઘડવૈયા થવાના અથવા તો જૈનશાસનના જ્યોતિર્ધર બનવાના ભાગ્ય-લેખ આના ભાલ પર લખાયેલા હું સ્પષ્ટ વાંચી શકું છું. માટે આ બંનેને એવી રીતે સાચવજો કે, જેથી આમને જરાય પરાયાપણું ન લાગે અને પાછું આમનું વ્યક્તિત્વ એટલું જ ગુપ્ત રહે !
સંઘના આગેવાનો એટલા બધા શાણા હતા કે, એમના માટે આટલો ઇશારો પણ ઘણા ઘણા અર્થનો સૂચક બની ગયો. દિવસો વીતવા માંડ્યા, એમ વનરાજ મોટો થવા માંડ્યો. વિકાસ પામતા શતદળ-કમળની જેમ વૃદ્ધિ પામતા વનરાજને જોઈને મનોમન સંતોષ અનુભવતી રાણી રૂપસુંદરી શ્રી શીલગુણસૂરિજીના ઉપકારના ભારને વધુ ને વધુ વહતી રહીને વનરાજના ભાવિ અંગેનાં ભવ્ય સ્વપ્નો નિહાળી રહી ! વનરાજ શ્રી શીલગુણસૂરિજીની છત્રછાયામાં દિવસનો ઘણોખરો ભાગ ગાળીને ધર્મ-સંસ્કારથી સમૃદ્ધ બનતો ગયો. સૂરિજી એનામાં એક પ્રભાવક જૈનાચાર્યનું પ્રતિબિંબ નિહાળી રહ્યા, પણ આ પ્રતિબિંબની પાત્રતા વનરાજમાં નહોતી, એનો સ્પષ્ટ ખ્યાલ એક દિવસ સૂરિજીને અણધાર્યો જ આવી ગયો.
પ્રસંગ એવો બન્યો કે, સૂરિજી પાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં દર્શન કરી રહ્યા હતા. ત્યાં અચાનક એમની દૃષ્ટિ આઠ વર્ષના વનરાજ ઉપર પડી. મંદિરમાં ફરતા ઉંદર આદિ દેરાસરને કોઈ નુકશાન ન કરી જાય, એની દેખરેખ રાખવાનું કામ વનરાજને સોંપવામાં આવ્યું હતું. પણ
આબુ તીર્થોદ્ધારક
૩૦