________________
ના આ વર્ષમાં, વૈશાખની પૂનમે જન્મ્યો છે. તો આ તિથિ પરથી એનું ભાવિ ભાળીને મને કહો કે, આના ભાલમાં શું લખ્યું છે ?
રૂપસુંદરી ઊભી થઈ અને પારણિયે પોઢેલા એ બાળને કાળજાની કોરની જેમ ઝાલીને સૂરિજી પાસે લાવીને એ પુનઃ બેસી ગઈ. એ બાળકના મોં પર એવું તેજ ઝળહળી રહ્યું હતું કે, જેને જોતાં સૂર્યની તેજસ્વિતા અને ચંદ્રની શીતલતા યાદ આવી જાય ! શ્રી શીલગુણસૂરિજી થોડી પળો સુધી એ બાળકને જોઈ જ રહ્યા, જોઈ જ રહ્યા ! પછી એ બોલ્યા કે, રાણીજી ! વનના આ રાજાનું ભાવિ તો ઘણું બળવાન છે. કાં આ મહાન ધર્માચાર્ય થશે, કાં આ ગુર્જર રાષ્ટ્રનો મહાન ઘડવૈયો રાજા થશે. આનું નામ શું રાખ્યું છે?
“મહારાજ ! નામ તો હજી પાડ્યું નથી, પણ આપના મોંમાંથી હમણાં જે શબ્દો નીકળ્યા, એ મને ખૂબ ગમી ગયા છે. માટે આજથી હવે મારા આ લાડકવાયાને હું “વનરાજ' ના નામે જ બોલાવીશ મહારાજ ! ભૂવડના ગુપ્તચરો હજી અમારી શોધમાં બાજની આંખે ઘૂમી રહ્યા છે. એથી એ તો કહો કે હજી દુ:ખના આવા આ દહાડા ક્યાં સુધી વેઠવા પડશે ?”
શ્રી શીલગુણસૂરિજી “વનરાજ'ના ભાલ પર ચમકતા તેજ અંબરથી અંજાઈ જઈને વિચારી રહ્યા હતા કે, આ રાણીને જો આશ્રય આપવામાં આવે અને આ વનરાજના જો પિતા બનવામાં આવે, તો જૈનશાસનની મહાન પ્રભાવના કરનારી એક શક્તિનું સર્જન કરી શકાય. એથી એમણે કહ્યું : રાણીજી, તમારા દુઃખના દહાડા હવે ગયા જ સમજો ! થોડા દિવસ પછી પંચાસરના જૈનચૈત્યમાં તમે આવજો. શ્રી પાર્શ્વનાથપ્રભુના એ ચૈત્યની પાસે જ અમારો ઉપાશ્રય છે. તમે ત્યાં આવજો, પછીનું બધું જ થઈ પડશે.
રૂપસુંદરીએ તહત્તિ' કરીને આ વાત સ્વીકારી લીધી. શ્રી શીલગુણસૂરિજી રાણીનો સદ્ભાવ લઈને અને પોતાનું મન ત્યાં મૂકીને આગળ વિહાર કરી ગયા !
– –
મંત્રીશ્વર વિમલ
26 ૨૯