________________
“મહારાજ ! આ ભૂમિ પર ખેલાઈ ગયેલા છેલ્લા યુદ્ધની વાતથી તો આપ પરિચિત જ હશો? અને યુદ્ધ બાદ ગુર્જર રાષ્ટ્રનો નકશો જે ઝડપથી પલટાઈ ગયો, એની બધી જ વાતો પણ આપ પૂરેપૂરી જાણતા જ હશો?”
શ્રી શીલગુણસૂરિજી રાજકીય રંગથી પૂરા પરિચિત હતા, એમને શંકા પડી કે, આ નારી જયશિખરી રાજાની રાણી તો નહિ હોય ને ? નહિ તો આમ આત્મકથાના ગણેશ કરતાં રાજકીય વાતોને આ કેમ યાદ કરે ? એમણે કહ્યું :
હા. આ બધા રાજકીય રંગોથી હું બરાબર પરિચિત છું. ખરેખર જયશિખરી ગયા અને ગુજરાતના માથે પનોતી બેઠી ! નહિ તો આમ કાચી પળમાં ગુજરાત કનોજના કબજામાં ચાલ્યું જાય ખરું ? આમ હોવા છતાં ગુર્જર રાષ્ટ્રના ચાહકો એ આશાને આધારે જીવન જીવી રહ્યા છે કે, આપણી મહારાણીની કૂખમાં આકાર લેતી કાયા, કદાચ એવી શક્તિ લઈને કેમ ન અવતરી હોય કે, જે શક્તિનું જાગરણ આ ભંગારમાંથી શત શત શૃંગારનું ફરીથી નિર્માણ કરી શકે !”
પેલી નારીની આંખનો ખૂણો આંસુથી ભીનો બન્યો. પાલવના છેડેથી એ આંસુને છુપાવતા એણે ખૂબ જ ધીમા સાદે કહ્યું : મહારાજ ! એ રૂપસુંદરી હું પોતે જ ! મહામંત્રીઓની કુનેહથી હું આબાદ બચી ગઈ !
ગુર્જર રાષ્ટ્રનો એ ભાવિ ઘડવૈયો શું આ પારણિયે પોઢ્યો છે? રાણીજી ! ચોક્કસ આ પારણિયે એ જ ઝૂલતો હોવો જોઈએ, નહીં તો સૂર્યનો આ અપ્રતિહત પ્રતાપ આમ અટકી શકે ખરો ? મને આ ચમત્કારે જ અહીં રોકી રાખ્યો, થયું કે સૂર્યને પણ પોતાનો તાપ સંહરી લેવાની ફરજ પાડતું આ બાળક ભાગ્યશાળી હોવું જોઈએ, એથી મેં તમને એકસામટા બે પ્રશ્નો પૂછી નાખ્યા !”
રૂપસુંદરી શ્રી શીલગુણસૂરિજીના વ્યક્તિત્વમાં જાણે પોતાના પિતાજી જેવું વાત્સલ્ય જોઈ રહી. એણે કહ્યું : હા. મહારાજ ! મારો બાલુડો અહીં જ વનના આ સામ્રાજ્યમાં પોઢી રહ્યો છે. મેં સાંભળ્યું છે કે, આપ જબરા જ્યોતિષી છો. મારો આ લાડકવાયો વિ. સં. ૭પર
૨૮ આબુ તીર્થોદ્ધારક