________________
સિદ્ધરાજ જયસિંહના સમયમાં તો “ચૈત્યવાસના એ પાયા મૂળમાંથી હચમચી ઊઠ્યા અને પાટણમાં સુવિહિત સાધુઓનું ગમનાગમન મેઘમાળાની જેમ સાવ અપ્રતિબંધિત બન્યું.
“ચૈત્યવાસની સામે પડવામાં ત્યારે સુવિહિત સાધુઓને ઘણી ઘણી મુસીબતો પડતી. છતાં શાસનને સમર્પિત અનેક સૂરિવરોએ આ જવાબદારી જીવ અને જાતના જોખમેય અદા કરી. સુવિહિત શિરોમણિ પૂજ્ય આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ આદિનું અંતર “ચૈત્યવાસની શિથિલતાના દર્શને રડી ઊડ્યું અને એ સૌએ કડક શબ્દોમાં “ચૈત્યવાસની સણસણતી સમાલોચના કરી. પૂ.આ. શ્રી હરિભદ્રસૂરિજીએ મુખ્યત્વે સ્વરચિત “સંબોધ પ્રકરણ' નામક ગ્રંથના “ગુર્વાધિકાર”માં ચૈત્યવાસ સામે જે પુણ્યપ્રકોપ ઠાલવ્યો છે અને શિથિલતાનો ઉઘાડે છોગ ઊધડો લઈને, જે જબરી ઝીંક ઝીલવા દ્વારા સત્યનું સમર્થન કર્યું છે, એના વાચન ઉપરથી “ચૈત્યવાસના કારણે વિકૃત બની ગયેલી તત્કાલીન પરિસ્થિતિનો ઠીક ઠીક ખ્યાલ આવી શકે છે. એનું વાચન કરનારા વર્તમાનકાલીન આત્મનિરીક્ષકને એવી વ્યથા પેદા થયા વિના નહિ રહે કે, એ ચૈત્યવાસ થોડાઘણા અંશે આજે પુનઃ જૂજવા રૂપે ક્યાંક ક્યાંક પુનર્જીવન ધરવા નથી મળી રહ્યો છું?).
નાગેન્દ્ર નામના ગચ્છમાં થયેલા પ્રભાવશાળી પૂ. આચાર્યદેવ શ્રી શીલગુણસૂરિજી આ ચૈત્યવાસી-પરંપરાના જ એક વાહક હતા. એઓ બહુધા પંચાસરમાં રહેતા. ચૈત્યવાસ વારસામાં મળેલો હોવાથી રાજાઓ આદિને મંત્ર-તંત્રથી આકર્ષવાની શક્તિઓના એ ધણી હતા. એક વાર એઓ પંચાસરની આજુબાજુના પ્રદેશમાં થઈને વિહાર કરી રહ્યા હતા. ભરજંગલ શરૂ થતાં એમની આંખે જે એક દશ્ય નિહાળ્યું, તેથી તેમની આંખ આનંદ અને આશ્ચર્યથી ભરાઈ ગઈ.
અપરાધંનો સમય હતો. સામે એક ઘટાદાર વૃક્ષ હતું. એની ડાળી ઉપર એક ઝોળી બાંધવામાં આવી હતી અને એક જાજરમાન પ્રૌઢ નારી એ ઝોળીમાં સૂતેલા બાળકની સારસંભાળ લઈ રહી હતી.
૨૬ ૯૬ આબુ તીર્થોદ્ધારક