SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકવાર ભોજન, પ્રતિલેખનાદિનો ત્યાગ, પલંગ, જોડા, વાહન આદિનો ઉપભોગ, પ્રતિમાજીની પૂજા, સંસારની સિદ્ધિ માટે તપ આદિ ધર્મક્રિયાઓનો ફેલાવો, લોચના કષ્ટને તિલાંજલિ, દેવદ્રવ્યનો ભોગવટો, મંદિર-ઉપાશ્રયના નિર્માણમાં સીધો સંબંધ, સ્નાન-વિલેપન દ્વારા દેહ શોભા, જ્યોતિષ-નિમિત્ત વૈદક તેમજ મંત્ર-તંત્રનો છૂટથી ઉપયોગ, રાજાઓના મનનું રંજન, રાજકીય પ્રવૃત્તિમાં ઊંડો રસ, ધન સંગ્રહ ઇત્યાદિ અનેક જાતની શ્રમણ-જીવનની ઘાતક પ્રવૃત્તિઓનો અખાડો ‘ચૈત્યવાસ’નું રૂડું રૂપાળું નામ ધરીને ત્યારે વિકસી રહ્યો હતો. ટૂંકમાં વેશની વફાદારીનું વિસર્જન અને મુખ્યત્વે જાતની જાહોજલાલીનું સર્જન : આ બે પાસાં ધરાવતી એ ‘ચૈત્યવાસ-પ્રવૃત્તિ' હતી. કાળી કાળી વાદળીને પણ જેમ રૂપેરી કોર હોય છે, એમ આવા ‘ચૈત્યવાસ’ પાસે પણ થોડુંઘણું વખાણી શકાય; એવું એક ઊજળું પાસું હતું. ચૈત્યવાસમાં થયેલા પણ વિદ્વાન આચાર્યો ત્યારે રાજાઓને પ્રતિબોધીને જૈન-તીર્થો, જૈનમંદિરો આદિને સમૃદ્ધ બનાવવા ઉપરાંત આગમાદિ સાહિત્યનેય ટીકા વગેરેની રચનાથી મંડિત બનાવતા હતા. પોતાના જીવનમાં શિથિલાચારની છેલ્લી માત્રા હોવા છતાં સાહિત્યની એ રચનામાં ઘાલ-મેલ કર્યા વિના આગમોક્ત શ્રમણ જીવન આદિની એ આચાર્યો સુંદર પુષ્ટિ કરીને પોતાની શ્રુતનિષ્ઠાને વળગી રહ્યા હતા. (ઇતિહાસ કહે છે કે, આ ચૈત્યવાસી આચાર્યોનું જોર એવું વધવા પામ્યું કે, એમણે રાજાઓને વશ કરીને, એ એ ગામ-નગરોમાં સારા સાધુઓનો પ્રવેશ પણ બંધ કરાવી દીધો. એક વખત એવો આવ્યો કે, અણહિલ્લપુર પાટણમાં સુવિહિત સાધુઓનું આગમન સાવ સ્થગિત થઈ ગયું. જ્યારે ચંદ્રકુલીન પૂ. આ. શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજ અને પૂ. આ. શ્રી મુનિસુંદરસૂરિજી મહારાજ ઘણું કષ્ટ વેઠીને પાટણમાં પ્રવેશ્યા, ત્યારે રાજા દુર્લભરાજનું રાજ્ય હતું, એમણે પોતાના ઉપદેશ દ્વારા સાચા સાધુઓનું સ્વરૂપ સમજાવીને ‘ચૈત્યવાસ’ના પાયાને જરાક ઢીલો પાડવામાં સફળતા મેળવી, ત્યાર બાદ ગુર્જર ચક્રવર્તી શ્રી મંત્રીશ્વર વિમલ ૨૫
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy