________________
જયશિખરી પરાક્રમના અવતાર સમા હતા. ત્યારે પંચાસરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય હતું, જે પંચાસરની પ્રતિષ્ઠામાં ઠીક ઠીક વધારો કરતું હતું. જયશિખરીને પોતાની પરિસ્થિતિનો પૂરો ખ્યાલ હતો, એઓ જાણતા હતા કે, પંચાસર કનોજની આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યું છે. એથી ગમે ત્યારે યુદ્ધની નોબત ગગડી ઊઠવાની શક્યતા-સંભાવનાથી એઓ પરિચિત હતા. અને આ સંભાવના એક દહાડો કટોકટીની પળે જ સચ્ચાઈનું રૂપ પામવા સજ્જ બની ! કનોજે પંચાસરની સામે જ્યારે યુદ્ધ જાહેર કર્યું, ત્યારે જયશિખરીની રાણી રૂપસુંદરી ગર્ભવતી હતી, એની કૂખે ગુર્જર રાષ્ટ્રનો કોઈ ઘડવૈયો ઘડતર પામી રહ્યાની જયશિખરીને શ્રદ્ધા હતી.
યુદ્ધની નોબતો એકાએક વાગી ચૂકી, એથી રૂપસુંદરીની સુરક્ષાનો વિચાર કરવાનો કોઈ અવકાશ જ ન રહ્યો, આ તો યુદ્ધનો મામલો હતો. જયપરાજયનાં ગણિત જ્યાં ગોથાં ખાઈ જાય, એવી કટોકટીની એ પળે કર્તવ્યને અદા કરવા રાજા જયશિખરી તૈયાર થઈ ગયા ને કનોજ-પંચાસર વચ્ચેનો એ સંગ્રામ થોડા જ સમયમાં ખૂનખાર બની ગયો. એ જંગમાં આમને-સામને નમતો રહેતો વિજયનો વાવટો અંતે કનોજ તરફ નમ્યો. રાજા જયશિખરી વીર-મૃત્યુને વરતાં જ ગુર્જર રાષ્ટ્ર પર કનોજની આણ ફરી વળી. - રાજા જયશિખરીના મંત્રીઓ યુદ્ધની ભીષણતા પરથી ભાવિનો ભેદ પામી ગયા હતા. એમને મન પંચાસરના રક્ષણ કરતાં, પંચાસરના ભાવિ રાજવીનું રક્ષણ વધુ મહત્ત્વનું હતું. અને એ માટે રાણી રૂપસુંદરીનું જતન કાળજાની કોરની જેમ કરવું આવશ્યક હતું. એથી રાણી રૂપસુંદરીને સુરક્ષિત સ્થાને મોકલવાની વ્યવસ્થા થઈ ગઈ હતી. આ પછી પંચાસર કનોજના કબજામાં ચાલ્યું ગયું હતું, એનો મંત્રીઓને મન સંતોષ હતો. જયશિખરીના મૃત્યુ બાદ ગુર્જર રાષ્ટ્ર માટે અસ્મિતા અને સ્વતંત્રતા ખોવાનો અવસર આવ્યો અને પંચાસર પર ભૂવડ રાજવીની આણ ફરી વળતાં સમગ્ર ગુર્જર કનોજના કબજા હેઠળ આવી ગયું. મંત્રીશ્વર વિમલ છ ૨૩
ભાવ રાજવીનું રક્ષણ કરી કોરની જેમ
ની વ્યવસ્થા