________________
ગુર્જર રાષ્ટ્રનો ઘડવૈયો
CHOO099
વિક્રમની આઠમી સદીના ઉત્તરાદ્ધ ચાલી રહ્યો હતો. આ સમયે કાન્યકુબ્બ-કનોજમાં ભૂયરાજ ભૂવડનું પ્રતાપી શાસન તપી રહ્યું હતું. એમની નજરમાં ગુર્જર રાષ્ટ્ર પર જય મેળવીને રાજા જયશિખરીને પરાજય આપવાની લિપ્સાના અંગારા વર્ષોથી પ્રજવળી રહ્યા હતા. એ વખતે પંચાસર જાહોજલાલીના સર્વોચ્ચ શિખરે પહોંચેલું હતું. ગુર્જર રાજયમાં વઢિયાર તરીકે
ઓળખાતા પ્રદેશમાં આવેલા પંચાસરનગરમાં જયશિખરી રાજ્ય કરી રહ્યા હતા.