________________
રાજ્યાભિષેકનું કાર્ય પત્યા બાદ નવા વસાવેલા અણહિલ્લપુર પાટણને સમૃદ્ધ બનાવવા વનરાજ ચાવડાએ આસપાસમાં વસતા અનેકાનેક વિશિષ્ટ મહાનુભાવોને આ નવી નગરીમાં નિવાસ કરવા દ્વારા ગુર્જર રાષ્ટ્રના પાયાને મજબૂત બનાવવાનું કર્તવ્ય અદા કરવા કાજે આમંત્રણ પાઠવ્યાં. એને માન આપીને સમગ્ર ગુજરાતમાંથી અનેકાનેક શક્તિઓ અને સમૃદ્ધિઓનો પ્રવાહ અણહિલ્લપુર પાટણ તરફ વળ્યો.
આવું જ એક આમંત્રણ ગાંભુમાં વસીને થોડા જ વર્ષોમાં પૈસા અને પ્રતિષ્ઠાથી સમૃદ્ધ બનનારા નીના શ્રેષ્ઠીને પણ મળ્યું. ઊગતા સૂરજને કોણ ન નમે ? નીના શ્રેષ્ઠી એ આમંત્રણ સ્વીકારીને વનરાજ ચાવડાના અણહિલ્લપુર પાટણમાં આવ્યા, આ આગમન કોઈ એવી શુભ પળે થયું કે થોડા જ વખતમાં નીના શ્રેષ્ઠીના સુપુત્ર લહિરને મંત્રીપદથી મંડિત બનાવવાનાં વિચાર ચક્રો ગતિમાન બની ગયાં.
મંત્રીશ્વર વિમલ
૨૦ ૨૧