________________
પાઠ ભજવવાની કોણે ફરજ પાડી ? મને લોકો ‘ચાંપો વાણિયો' તરીકે ઓળખે છે.
વનરાજ ચાવડાએ બુકાની છોડીને જ્યારે બધી જ કહાણી ટૂંકમાં કહી સંભળાવી તેમજ અણનમ ગુર્જર રાષ્ટ્ર સર્જવાની જે સ્વપ્ન સૃષ્ટિ દિન-રાત પોતાની આંખમાં રમતી હતી, એનું એણે દિગ્દર્શન કરાવ્યું, ત્યારે તો એ ચાંપો વાણિયો વધુ ગદ્ગદ બની ઊઠ્યો અને પોતાની તમામ કમાણી સામેથી વનરાજ ચાવડાના ચરણે કુરબાન કરતાં એણે કહ્યું : મારું આ ધન ધર્મ અને સંસ્કારને સુદૃઢ બનાવવા કાજેના આપના આ અભિયાનમાં અત્યારે કામ નહિ લાગે, તો પછી ક્યારે લાગશે ? વધુ ધનની જરૂર પડે, તો મને નિઃસંકોચ સંકેત પાઠવજો. ઘરે ઘણું પડ્યું છે, માટે અણીના અવસરે મને જરૂર યાદ કરજો ! બધાની આંખો આંસુભીની બની ગઈ ! વનના વાસી વનરાજ ચાવડાની એ મંડળી વાદળ પાછળ છુપાઈ જતા ચંદ્રની જેમ ઝાડી પાછળ અદૃશ્ય બની ગઈ અને ચાંપો વાણિયો પોતાના રસ્તે આગળ વધી ગયો.
આકાશના આંગણે અમાસી અંધારાં ઘેરાઈ રહ્યાં હતાં. આખું કાકર ગામ નિદ્રા-દેવીને ખોળે આરામથી પોઢી ગયું હતું, પણ આ વખતે લૂંટારાઓની એક ટોળીની આંખમાં ઊંઘ નહોતી, કારણ કે કાકરના સમૃદ્ધિશાળી એક શેઠના ઘરે ખાતર પાડીને લૂંટ ચલાવવાની યોજના વિચારાઈ ગઈ હતી અને આજની રાતે જ એ યોજના અમલમાં મૂકવાની હતી, મધરાતની આલબેલ પોકારાઈ અને લૂંટારાની ટોળીએ ખાતર પાડીને શેઠના મહેલમાં પ્રવેશ કર્યો.
અઢળક ધનથી ભર્યો-ભાદર્યો એ ભવ્ય મહેલ હતો અને ચૌર્યકળાના પૂરા અભ્યાસી એ લૂંટારાઓ હતા, એથી થોડી જ વારમાં ઠીક ઠીક ધન લૂંટીને સૌ પાછા ફરવાની તૈયારી કરી રહ્યા, પણ ત્યાં જ એકાએક સરદારની એક આજ્ઞા છૂટી : હું નિમકહરામ નથી કે, જે આબુ તીર્થોદ્ધારક
૧૮