________________
ઘરમાંથી મેં થોડું પણ ખાધું હોય, ત્યાં લૂંટ ચલાવું ! માટે લૂંટની આ બધી જ લક્ષ્મી અહીં મૂકી દઈને પછી જ બહાર નીકળવાનું છે !
બન્યું હતું એવું કે, એ સરદારનો હાથ અંધારાના કારણે એક માટલા પર પડ્યો, એણે માન્યું કે આ ચરૂ હોવો જોઈએ અને અંદર કીમતી માલ રાખવામાં આવ્યો હોવો જોઈએ. એથી સરદારે ઝડપથી અંદર હાથ નાખ્યો, તો એના હાથમાં દહીં આવ્યું. એ માટલું દહીંનું હતું. હાથની સફાઈ કરવી અનિવાર્ય હતી, એથી સરદારે દહીં ચાટી જઈને હાથ સાફ કર્યો. પણ પછી એ સરદારને તરત જ વિચાર આવ્યો કે, ખાધું હોય, ત્યાંનો ખજાનો કેમ લૂંટાય? અને લૂંટની બધી જ લક્ષ્મી મૂકી દેવાની આજ્ઞા છૂટી, એ મુજબ એ રાતે સૌ ખાલી હાથે જ પાછા ફર્યા.
બીજા દિવસની સવાર થતાં જ કાકર ગામના એ શેઠના ઘરમાં “ચોરી ચોરીની ફરીયાદ ઊઠી. પણ થોડી જ વારમાં સૌએ આશ્ચર્ય અનુભવ્યું. કારણ કે લૂંટની તમામ લક્ષ્મી તો અકબંધ જ પડી હતી. શેઠની પુત્રી શ્રીદેવી આવી અજબની ચોરીનો ભેદ ગોતવા ઘરમાં ઘૂમી વળી, પેલું માટલુંય એની નજરમાં પડ્યું, એના બહારના ભાગમાં દહીંના છાંટા પડ્યા હતા. એણે અંદર નજર કરીએ તો ઘીની જેમ જામેલા દહીંમાં અંકિત થયેલો એક પંજો દેખાયો. રેખા-શાસ્ત્રની સારામાં સારી જાણકારી એની પાસે હતી. પંજાની રેખાઓ જોઈને એના આશ્ચર્ય અને આનંદનો પાર ન રહ્યો. એને થયું કે, નક્કી આ ચોર કોઈ મોટો માણસ હોવો જોઈએ. એથી ગમે તે રીતે એનો ભેટો પામવા એ ઝંખી રહી.
શ્રીદેવીની આ ઝંખના લૂંટારાઓનો પેલો સરદાર ક્યાંકથી કળી ગયો, ને પાકો બંદોબસ્ત કરીને એ એક રાતે શ્રીદેવીને મળવા આવ્યો. શ્રીદેવીએ પૂછ્યું : આ વળી કેવી ચૌર્યકળા ! લક્ષ્મી લૂંટીને એકઠી કરી, પણ પછી અહીં જ મૂકીને કેમ પલાયન થઈ ગયા? મંત્રીશ્વર વિમલ છે ૧૯